________________
૧૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી
શ્રી. હીરાચંદ કસ્તુરચંદ ઝવેરીને જન્મ સુરતમાં તા. ૭–૭–૧૯૦૧ મૈં દિવસે થએàા. તેએ ધમૈં જૈન અને વ્યવસાયે ઝવેરી છે, અને વ્યવસાયને કારણે મેક્રટે ભાગે મુંબઈમાં રહે છે. પેાતાના વતન સુરતમાં તેમણે પેાતાના સાહિત્યવિષયના અનુરાગને લીધે ગુજરાતી સાહિત્યમંડળની સ્થાપનામાં અગ્રગણ્ય ભાગ લઈ ને ૬ વર્ષ સુધી તેનું મંત્રીપદ લીધું હતું. એ મંડળે પાછળથી નર્મદ સાહિત્યસભા' નામ ધારણ કર્યું છે. એ અરસામાં તેમણે પ્રે. મેષનનાં પુસ્તકાનું ભાષાંતર કર્યું હતું, જેમાંનાં નીચેનાં પુસ્ત પ્રસિદ્ધ થયાં છેઃ (૧) સંસારસ્વઘ્ન, (ર) મૃગજળ, (૩) જગન્માહિતી અને નટરાજ, (૪) નાગકન્યા. તે ઉપરાંત તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ અને છૂટક કાવ્યા લખ્યાં છે. “જંબૂતિલક” નામના મહાકાવ્યના અર્ધા ભાગ તેમણે લખ્યા છે જેને એક સર્ગ ‘દેશબંધુ’ના દીવાળીના અંકમાં પ્રસિદ્ધ થયા હતા. એ કાવ્યમાં જૈન તીર્થંકર મહાવીર સ્વામીના જીવનનું આલેખન છે.
તેમના અભ્યાસ મૅટ્રિક સુધીનેા છે પરન્તુ તેમણે વાચન-મનનથી પેાતાના જ્ઞાનમાં ખૂબ વધારા કર્યાં છે જે તેમની કૃતિઓમાં દેખાઇ આવે છે. સાહિત્યપ્રવૃત્તિમાં તેમને શ્રી. બ. ક. ઠાકારનું પ્રોત્સાહન ઠીક મળેલું
છે. સંતતિમાં તેમને બે પુત્ર અને એક પુત્રી છે.
W