________________
પાંચ વર્ષનું સાહિત્ય – કવિતા
૧૧
‘ગીતાધ્વનિ’ (કિશારલાલ મશરુવાળા): ગીતાનું આ સમશ્લાઙી ભાષાંતર નવી આવૃત્તિમાં કેવળ નવા સમું બન્યું છે, અને મૂળને લક્ષ્ય કરીને શબ્દાળુતા વિના સરલતા કેવી રીતે આવી શકે તેને એક સરસ નમૂને તે પૂરા પાડે છે.
મધ્યમ પેઢી
કવિતાસંગ્રહા
‘કલ્યાણિકા' (કવિ ખબરદાર)માં ઈશ્વરવિષયક વિરલ દિવ્ય અનુભવાનું પ્રકટીકરણ ભજનાના ઢાળમાં એક ભક્તની ઊર્મિથી કરવામાં આવેલું છે. ઈશ્વરના સ્પર્શ માટે પાંચ પગથિયાં નિરૂપીને સરલ વાણીમાં ભક્ત હૃદયના ભાવે દર્શાવ્યા છે.
‘રાષ્ટ્રિકા’(કવિ ખબરદાર) એ રાષ્ટ્રાત્થાનને પ્રેરનારાં કાવ્યોને સંગ્રહ છે. દેશપ્રીતિ, ઉત્સાહ, શૌર્ય, આશા અને સ્વાર્પણની ભાવના એ કાવ્યેામાં ધબકે છે. ઊર્મિ જગાડવામાં તેનાં ગાન-નાદ મણ હિસ્સા આપે છે, ‘લેાલિંગરાજ’(કવિ નાનાલાલ) એ ભૈરવનાથના ખાવાનું રાસડાના ઢાળમાં ઉતારેલું એક સરસ શબ્દચિત્ર છે.
‘સેાહાગણુ’(કવિ નાનાલાલ): પ્રૌઢાવસ્થામાં જૂના પ્રેમનાં સંસ્મરણા દ્વારા નવસંવનનને અનુભવ કરતા કિવને! મનેાહર લલકાર આ કાવ્યમાં ઊતરીને પ્રેમભાવનાની નિર્મળતાને જગાડે છે. એવી જ બીજી છંદોબદ્ધ કાવ્યકૃતિ ‘પાનેતર’માં કવિએ લગ્નવિધિમાં આવતા આચારાને સ્રીમુખની નિર્મળ સ્નેહનીતરતી વાણીમાં ગૂ'થીને દાંપત્યભાવાને રેલાવ્યા છે.
‘એકતારા' (ઝવેરચંદ મેઘાણી)માંનાં ગીત, કાવ્યા અને ભજનેામાંનાં કેટલાંક પ્રસંગલક્ષી હાવા છતાં તેમાં જે પ્રાણવાન ઊર્મિતત્ત્વ રહેલું છે તેણે કરીને તે આકર્ષક બની રહે છે. કેટલાંકની ગેયતા અને કેટલાંકની ભાવનૂતનતાને કારણે તે સ્મરણમાં જડાઇ જાય તેવાં છે. કલ્પના અને સહૃદયતાની આરપાર વહેતી વાણી ચેટ લગાડનારી બને છે. દેશ્ય શબ્દો અને સંસ્કૃત શબ્દોના અણુમેળ કાઇ વાર ખૂંચે છે ખરા.
‘તેજછાયા’ (જયમનગૌરી પાઠકજી)ઃ છંદ, ગીત અને રાસ એ ત્રણે પ્રકારની કવિતાઓના આ સંગ્રહમાં ભાવદર્શન સ્વચ્છ છે, પણ ઊર્મિ સપાટી પર જ વહે છે અને કલ્પના મર્યાદિત ઉડ્ડયન કરે છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનના કોઈ કાઈ પ્રસંગેા કવિતાના વિયેા છે.
‘હંસમાનસ' (કવિ હંસરાજ)ઃ ઉત્સાહ, કરુણા, રાષ્ટ્રપ્રેમ તથા વનમધને આવરી લેતી કવિતાઓના આ સંગ્રહ સ્પષ્ટ ને સરલ વેગભરી ભાષાને