SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને સમય [ ૧૪૩ ઉપરથી સામાન્ય લાગણી વિશે જાણવાનું મળે છે. લંકાનો જુસ્સો એવો હતો કે સ્ત્રીઓ પોતાનાં બાળબચ્ચાં છોડી સડક ઉપર દોડી ગઈ. પરંતુ એ પણ જાણવું જોઈએ કે હુમલો કરનારી ફેજોએ સરહદ ઉપર દેખાવ દીધો ત્યાંસુધી શત્રુના કાન ઉપર આ તૈયારીની ખબર ન પડી. ગ્રહરિપુએ આ વાત સાંભળી ત્યારે તે પણ સત્વર તૈયારી કરી રણભૂમિ ઉપર લશ્કર લઈ આવ્ય; પોતાના મિત્રરાજાઓને પણ બેલાવ્યા, ભીલોની તેમજ પિતાની કામની સ્ત્રીઓ પણ રણક્ષેત્રમાં આવી પહોંચી (કદાચ લડવૈયાની સંખ્યા કમ હોવાના કારણે દુશ્મનને છેતરવા તેમને મેદાનમાં લાવ્યો હશે અથવા તે સરંજામ મલમપટ્ટી વગેરે માટે પણ હોય). ટૂંકમાં બંને બાજુનાં મિત્રરા નીચે પ્રમાણેનાં હતાં: સૌરાષ્ટ્ર ગુજરાતી મિત્રરા ૧ લાખારાજા કચ્છ ૧ મારવાડના રાજા ૨ શબ પર્શ રાજા (૩) . ૨ સિંધરાજ સિંધ ૩ શ્રીમાલ રાજા 8 જાડેજા રાજ ( ૪ પરમાર રાજા ૫ ગંગાના રાજા ઉત્તર ગુજરાત ૪ અન્ય નાના રાજાઓ ૬ બનાસને રાજા (ચંદ્રાવતી) મૂળરાજનું લશ્કર નાની નાની ટુકડીઓમાં વહેંચાયેલું હતું, તે છતાં તમામ એક ઝંડા અર્થાત એક જ સરદારના હાથ નીચે કામ કરતું હતું. પરંતુ ગ્રહરિપુને પ્રથમ તો એકલે હાથે મુકાબલો કરવો પડ્યો. તેણે બહાદુરીથી સામનો કર્યો, પરંતુ આબુની લડાયક જે તીરેને એવો તો વરસાદ વરસાવ્યો કે કઈ પણ રીતે તેનું લશ્કર ટકી શકયું નહિ. તેની હાર થઈ અને રાજા ગિરફતાર થયો. હવે કચ્છને રાજા આવી પહોંચ્યો. તેણે સુલેહની. ઘણું કોશિશ કરી, અને પિસા આપી રાજાને છેડાવવાની ઈચ્છા કરી;
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy