SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) કન અને ઠંડી-ગરમી, સુખ-દુ:ખ, માન-અપમાન, સ્તુતિ-નિંદા, તમામ ધંધોને ચિંતાવિલાપ પ્રતિકાર વિના સહન કરવાં તે જ તિતિક્ષા છે તેમ ભગવાન શંકરાચાર્યજીએ ‘વિવેક ચૂડામણિમાં જણાવ્યું છે: सहनं सर्वदुःखानाम् अप्रतिकारपूर्वकम्। चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते॥ તિતિક્ષા જીવનમાં ઉતારવા રાજા હરિશ્ચન્દ્રને યાદ કરીએ, દેવી સીતાજીનું સ્મરણ કરીએ, એકલવ્યની સાધના અને અંગૂઠાની ભેટ તફ નજર કરીએ, સોક્રેટિસે પીધેલું ઝેર અને ઈસુએ સ્વીકારેલી ફાંસી, ગાંધીજીએ ખાધેલી ગોળી અને મજૂરના કપાતા હાથપગ... આવા પ્રસંગો તિતિક્ષાનાં બેનમૂન દાંતો છે. જીવનમાં જે સહન નથી કરી શકતો તે કંઈ કરી શકે તેમ નથી અને જે સહન કરી શકે તે દુ:ખને દોલત બનાવી શકે છે. “સહનની આવડત હો તો, મુસીબતમાંય રાહત છે, હૃદય જે ભોગવી જાણે તો દુ:ખ પણ એક દોલત છે.” દુ:ખ સહન કરવાની તાકાત નહીં આવે ત્યાં સુધી સત્યનો સંકેત સમજાશે નહીં. સમજણની વાણી સાંભળવી હોય તો અર્જુનનો વિષાદયોગ જોઈએ. કગની મોરલી સાંભળવી હોય તો રાધાની વ્યાકુળતા જોઈએ. દ્રૌપદીની જેમ હૃદયમાંથી નિ:શ્વાસ નીકળે તો કૃષણ પરમાત્મા ચીર પૂરવા આવે. એમ સાચી દષ્ટિ રાખી અંતરથી દુ:ખ સહેવાની તાકાત કેળવવી જોઈએ. સાચી તિતિક્ષા જોઈએ. જ્યમ જથમ દરદ આવ્યા કરે; ખૂબ ખૂબ ખુશી ત્યમ માણવી 4 સમજી જવું કે દિલબરે કંઈ ભેટ આપી નવી નવી.” શ્રી સંત સાગર સાચી સહનશીલતા કે તિતિક્ષા જ સાધકથી સિદ્ધની અને વાલિયાથી વાલ્મીકિ સુધીની યાત્રા કરાવી શકે છે. જીવથી બ્રહ્મની સફર યાતના વિના શક્ય નથી. અને તિતિક્ષા વિના તે તો અશક્ય જ છે. માટે જ કહ્યું છે: છે સહન કરે તે સાધુ છે. જેને ફરિયાદ નથી તે સાધુ, દુ:ખ-દર્દ યાદ નથી તે સાધુ કોઈ જેને પજવી ન શકે તે સાધુ કારણ કે વૃક્ષની કે જેમ તે નથી કોધ કરતો, અનાયાસે આવેલ વિપરીત સંજોગથી કે નથી ભયથી નાસી જતો. ઊભો રહે છે પ્રતિકૂળતામાં, સહન કરે છે તેથી તે તિતિક્ષાની સાક્ષાત્ મૂર્તિ છે. સહન કરનારે વૃક્ષ પાસેથી એક જ જીવનસૂત્ર, ? એક મંત્ર યાદ રાખવાનો અને અડગ ઊભા રહેવું જીવન ઝંઝાવાતમાં. ને *
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy