SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ (બ) શબ્દાનનુવિદ્ધ સમાધિ - કોઈ પણ શબ્દના ઉચ્ચારણનું આલંબન લીધા વિના અંત:કરણને બ્રહ્મમાં જોડવાનો જે પ્રયત્ન છે તેને શબ્દાનનુવિદ્ધ સમાધિ કહેવામાં આવે છે. (૫) ચિત્તની વિરુદ્ધ અવસ્થા: જ્ઞાતા, જ્ઞાન અને શેયની ત્રિપુટીના ભાનરહિત અદ્વૈત પરબ્રહ્મમાં ચિત્તની જે સ્થિતિ છે તેને નિરુદ્ધાવસ્થા કહેવામાં આવે છે. આવી ચિત્તની નિરુદ્ધ અવસ્થાને જ નિર્વિલ્પ સમાધિ અથવા અસંપ્રજ્ઞા યોગ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ સમાધિના પણ બે પ્રકાર છે નિર્વિકલ્પ સમાધિ =[ અસંપ્રજ્ઞાતયોગ = નિરાલંબ યોગ = નિબજ યોગ] દશ્યાનુવિદ્ધ દક્ષાનનુવિદ્ધ (અ) દયાનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ કોઈ પણ દશ્ય વસ્તુમાં બ્રહ્મભાવના કરી તે દશ્યવસ્તુને આકારે પોતાના અંત:કરણની વૃદ્ધિ કર્યા કરવી તે દક્ષાનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ છે. (બ) દયાનનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ: કોઈ પણ દશ્ય વસ્તુના કે વ્યક્તિના અધિષ્ઠાનમાં પોતાના અંત:કરણને સ્થિર કર્યા કરવું તે દસ્થાનનુવિદ્ધ નિર્વિકલ્પ સમાધિ છે. ચિત્તની વિવિધ અવસ્થાઓને સમજ્યા બાદ, ચિત્તરૂપી ઉપાધિ સાથેના તાદાત્મથી અજ્ઞાનકાળે જન્મેલાં ભ્રાંતિરૂપ બંધન અને મોક્ષને જાણ્યા બાદ હવે વેદાન્તની દષ્ટિમાં અને આત્મજ્ઞાનના સંદર્ભમાં જેને જ્ઞાનસંજ્ઞક સમાધિ કહે છે તેના ઉપર ભગવાન શંકરાચાર્યની વિચારણા સમજવા પ્રયત્ન કરીએ. ___ निर्विकारतया वृत्त्या ब्रह्माकारतया पुनः। वृत्तिविस्मरणं सम्यक् समाधिर्ज्ञानसंज्ञकः॥१२४।। નિર્વિવતિય = નિર્વિકાર થયેલી વૃત્તિ (અથ નિર્વિય થયેલી વૃત્તિ. કારણ વિષયમાં જ વિકાર છે) પુન: = પુન: (ફરીથી) હ તય વૃજ્ય = બ્રહ્માકાર થયેલી (વૃત્તિ) જણાય (તો)
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy