________________
(૪૬૯)
હોય અને વિના કારણે ક્રોધનો અનુભવ કરે તે ચિત્તની મૂઢ અવસ્થા કહેવાય છે.
(૩) વિક્ષિપ્ત: જે ચિત્તમાં સત્ત્વગુણ પ્રભાવશાળી હોય અને જે પોતાના ધ્યેયમાં અલ્પ સમય માટે સ્થિર રહી શકે તે ચિત્તની વિશ્ચિમ અવસ્થા છે.
(૪) એકાગ્ર અવસ્થા: સત્ત્વગુણની વૃદ્ધિથી ચિત્ત પોતાના ધ્યેયવિષયમાં ચંચળતારહિત થઈ લાંબો સમય સ્થિર રહી શકે ત્યારે તેને ચિત્તની એકાગ્રાવસ્થા કહે છે. આવી એકાગ્ર અવસ્થાને સમજાવવા ગીતામાં અધ્યાય ૬માં કહ્યું છે કે
यथा दीपो निवातस्थो नेते सोपमा स्मृता । योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥ १९ ॥
“જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ચલાયમાન થતો નથી તેવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં જોડાયેલા યોગીના જીતેલા ચિત્તને અપાય છે.”
ચિત્તની આવી એકાગ્રતાને જ સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે. સંપ્રજ્ઞાતયોગને જ સવિકલ્પ સમાધિ કહેવાય છે. સવિકલ્પ સમાધિ જ્ઞાતા, જ્ઞાન અને શેયરૂપ ત્રિપુટીના લય વિના અદ્વિતીય બ્રહ્મના આકારે થયેલી ચિત્તવૃત્તિની જે સ્થિતિ છે તે છે.
સવિક્લ્પ સમાધિના બે પ્રકાર છે:
શબ્દાનુવિદ્ધ
સવિકલ્પ સમાધિ
[અથવા સંપ્રજ્ઞાતયોગ
સાલંબન યોગ = સબીજ યોગ ]
=
શબ્દોનનુવિદ્ધ
(અ) શબ્દાનુવિદ્ધ સમાધિ
ધીરે ધીરે બ્રહ્મનો નિર્દેશ કરનાર
શબ્દનું ઉચ્ચારણ કરી અંત:કરણને બ્રહ્મમાં જોડવાનો પ્રયત્ન તે શબ્દાનુવિદ્ધ સમાધિનો પ્રકાર છે.