SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૪). એક દિવસે બોલતો હોય તો તેને તે જ સમયે સાંભળનાર રાત્રે અંધારામાંથી જવાબ આપતો હોય તેવું બની શકે છે. આવું બને છે કારણ કે બન્નેના સ્થાનમાં ફેર છે. ટાની ગતિ કાળમાં ચમત્કાર સર્જી શકે છે હનુમાન પ્રસાદ જો ક્લત્તાથી વાયુત વિમાન લઈ લંડન જવા રવિવારે બપોરે ૧૨ વાગે નીકળે તો તેઓ તે જ દિવસે લગભગ ૧૨ વાગ્યે લંડન પહોંચી શકે. પણ એક જ શી કે તેમનું વિમાન ક્લાકના ૧૦૦ માઈલની ઝડપે ઊડવું જોઈએ. જો તેમ થાય તો હનુમાનપ્રસાદને યાત્રા દરમ્યાન સાંજ કે રાત્રીનો અનુભવ જ ન થાય. સતત મધ્યાહન જેવું જ લાગ્યા કરે. કારણ કે પૃથ્વી પણ લગભગ તેટલી જ ઝડપથી સૂર્યની આસપાસ ફરે છે, અને વિમાન પણ તે જ ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. માટે જ આવો ચમત્કાર થઈ શકે. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે શાંતિ છે. “આજ', “ગઈકાલ” અને “આવતીકાલ' ભ્રામક છે. સમયના ખ્યાલમાં વ્યતીત થનારું જીવન અને સમય બન્ને ખોટાં છે. દા. ત. આજે શુક્વાર છે. અર્થાત શુક્રવારને આપણે “આજ’ કહીએ છીએ. પણ તે જ શુક્રવારને શનિવારે “ગઈકાલ’ કહીએ છીએ. અને તે જ શુક્રવારને ગુરુવારે આપણે “આવતીકાલ’ કહીશું આ શુક્વાર છે શું? “આજર, ગઈકાલ” કે “આવતીકાલ'! “આજને શા માટે શુક્વાર કહેવાની જરૂર? રાત અને દિવસ તો એનાં એ જ છે પણ ‘કાળની કલ્પનાનું તેના ઉપર આરોપણ છે. આજ = વર્તમાનકાળગઈ કાલ = ભૂતકાળ, આવતી કાલ = ભવિષ્યકાળ = આ સર્વ કલ્પિત છે. ખરેખર ભૂત, ભવિષ્ય કે વર્તમાન જેવું છે જ નહીં. શુક્રવારને દિવસે આપણે તેને વર્તમાનકાળ કહીએ અને તે જ શુક્રવારને ગુરુવારે જોતાં ભવિષ્યકાળ કહીએ છીએ અને તે જ શુક્વારને શનિવારે જોતાં ભૂતકાળ કહીએ છીએ. ખરેખર આ શુક્રવારને ક્યો કાળ વળગ્યો છે? શુક્રવારને કંઈ થયું નથી પણ આપણા ભેદર્શી મનમાં જ કાળના ભેદ છે. તેથી જ પૂર્વે પશ્ચાત, આગળ પાછળ દેખાય છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy