SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) કરતાં વધારે કલ્યાણકારક છે. પોતાનાં ધર્મમાં મૃત્યુ પણ કલ્યાણકારી છે; જ્યારે પાકો ધર્મ ભય ઉપજાવનાર છે.” “વારિ તુટય” અહીં સાધનચતુષ્ટયનો ઉલ્લેખ કર્યો છે જે વર્ણાશ્રમ ધર્મ પાળવારૂપી તપથી પ્રાપ્ત છે. સામાન્ય રીતે જ્યાં “સાધનચતુટયરની વાત છે ત્યાં કમમાં પ્રથમ વિવેક અને પછી વૈરાગ્ય આવે છે. જેમ કે પોતાના પુસ્તક “વિવેક ચૂડામણિ”માં આચાર્યશ્રી દશવિ છે: विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः। मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता॥१७॥ આમ છતાં અહીં તેમણે કમ બદલી વૈરાગ્યને મહત્વ આપ્યું છે. ચાર સાધનમાં વૈરાગ્ય એક એવું સાધન છે કે જે તે જીવનમાં આવે તો બીજા ત્રણ સાધનો જેવાં કે વિવેક, સંપત્તિ, મુમુત્વમું આપોઆપ પાછળ ખેંચાઈ આવે છે. જેમ ખાટલાના ચાર પાયા પોતાની તરફ ખેંચવા ચારેચારને પકડી ખેંચવા પડતા નથી, એક પકડી ખેંચો એટલે બાકીના ત્રણ પાયા પરવશ થઈ પાછળ ખેંચાઈ આવે છે. વૈરાગ્ય ખૂબ જ પ્રબળ સાધન છે. એટલું જ નહીં પણ સાચા અભયનો જન્મ પણ વૈરાગ્ય દ્વારા જ થાય છે. શ્રી ભર્તુહરિ જણાવે છે: भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयम्। मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम्। शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद् भयम्। सर्वे वस्तु भयान्वितं भुवि नृणां वैराम्यमेवाभयम्।। ३८॥ “ભોગમાં રોગનો ભય છે, કુળમાં લાંછનનો ભય, ધનમાં રાજાનો ભય, મૌનમાં દીનતાનો ભય, બળમાં શત્રુનો ભય, અને રૂપમાં વૃદ્ધાવસ્થાનો ભય છે. શાસ્ત્રમાં વાદવિવાદનો ભય, ગુણમાં દુર્જનનો ભય, શરીરમાં મૃત્યુનો ભય. આવી રીતે ગતમાં સઘળી વસ્તુ માનવી માટે ભયયુક્ત છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે.”
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy