SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હલકા વિચારવાળો હલકી જ વાત વિચારે. હલકા વિચારના વંટોળમાં યા વિના વ્યક્તિએ માનવજન્મની મહાનતાને બિરદાવતાં શીખવી તે જ જીવનસાફલ્યની સાચી સચોટ જડીબુટ્ટી છે. જેને માનવદેહના, મનુષ્ય જીવનના સારમાં રસ છે તે ઊંચ-નીચ, રાગ-દ્વેષમાં પડતો નથી. વિવેકી તો શરીરને પરમ પુરુષાર્થનું સાધન ગણી મોક્ષને માર્ગે જવામાં તેનો સઉપયોગ કરે છે, અગર શરીરમાં હતુ ઘર્મ સાધન સમજી ધમર્થેિ શરીરને લઈ જાય છે. જેને પ્રભુપ્રાપ્તિની ધૂન લાગી છે, જેને આત્મજ્ઞાન જોઇએ છે, જેને પદાર્થ નહીં પણ પરમાત્માની તાલાવેલી છે તેવા કોઈ ભક્તને, સંતને, જ્ઞાનીને તેમનો ઉદેશ પાર પાડવામાં વર્ણ કે આશ્રમ વચ્ચે આવ્યો નથી; વિનરૂપ બન્યો નથી. નથી કોઈ મુશ્કેલી પડી રોહીદાસને કે નથી પડી સજન કસાઇને, ન તેમને વચ્ચે વિM બન્યું કર્મ, ન વર્ણ; ન સંત કબીરને વણકરનું કાર્ય કે વર્ણ વચ્ચે આવ્યાં, એટલું જ નહીં અગત્યમુનિ તો વેશ્યાપુત્ર હતા તેવી વાત સાંભળવામાં આવી છે. અને કહેવાય છે કે વેદવ્યાસ માછણના પુત્ર હતા આમ છતાં તેઓની દષ્ટિમાં વર્ણનું મહત્ત્વ નહોતું. માનવજન્મનું સદ્ભાગ્યે જ તેમણે નજર સમક્ષ રાખેલું સમજવાનું તો અને તે જ છે કે વર્ગનાં લેબલ મને લાગ્યાં નથી અને જે શરીરને તે લેબલ મળ્યા છે તે હું નથી; હું આશ્રમમાં નથી પણ તમામ આશ્રમ ! મારામાં છે. જે પોતાને આશ્રમમાં માને છે તે આશ્રમમાં નહીં, આ-શરમમાં આમ છતાં જો વર્ણ અને ધર્મમાં શંકા થાય તો સમજી લઈએ, પઠન વેદાધ્યયન, દાન આપવું. યજ્ઞ કરવો, નિત્યકર્મ સંધ્યાવંદનાદિ કરવાં તે બ્રહ્મણનો ધર્મ છે. અને યજ્ઞ કરાવવો, દાન લેવું, વેદાભ્યાસ કરાવવો, વિદ્યા શીખવવી તે બ્રાહ્મણનો ધર્મ નથી, આજીવિકાનું સાધન છે. આમ, વિવેકપૂર્વક ધર્મ, કર્મ સ્પષ્ટ સમજી પોતાના વર્ણ અને આશ્રમની મર્યાદામાં રહી કોઈ પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના જીવવું તે તપ છે. અને તે તપથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. આવી સ્વધર્મપાલનની વાત કૃષ્ણ પરમાત્માએ પણ ગીતાના સંદર્ભમાં કહી છે: श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात्। વર્ષે નિધનં યઃ પરથમ મચાવ૬: II ભ. ગી. ૩-૩૫ા સારી રીતે આચરણ કરેલ પોતાનો ધર્મ ગુણરહિત હોય છતાં પરધર્મ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy