SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૮). મુકેલ, લાગે તે અસત્ છે તેવું પણ નથી. અહીં એમ કહ્યું કે નામ અને આકારવાળું mત જેને પ્રપંચ કહેવાય છે તેની ખરેખર વાસ્તવિક ઉત્પત્તિ જ થઈ નથી. તે તો જેમ ઘેરી ઉપર સાપનો આરોપ છે તેમ જ mત પણ આરોપ છે આત્માના અધિષ્ઠાન ઉપર. જેમ પડદા ઉપર ચિત્રો આરોપિત છે તેમ જ આત્મા અધિષ્ઠાન રૂપી પડદો છે જેના ઉપર પ્રપંચના નામ અને આકાર આરોપિતા છે. આમ જે આરોપ હોય તેનું વાસ્તવિક અસ્તિત્વ જ ન હોય અને છતાં તે પ્રતીતિમાત્ર હોય છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રપંચ શા માટે વાણીનો વિષય નથી કે શબ્દવક્તિ છે. (૧) જગત કે પ્રપંચ પ્રતીતિ માત્ર છે. જે પ્રતીતિ છે તે માત્ર અજ્ઞાનકાળે હોય છે. અને જે માત્ર અજ્ઞાન સમયે જ અનુભવાય છે તેના વિશે શું કહેવાય? જે કંઈ કહી શકાય તે પણ અજ્ઞાનમાં જ કહેવાય તેથી કહેલું ન કહેવા બરાબર જ છે. માટે પ્રપંચ શબ્દવર્જિત છે, (૨) પ્રપંચની અનુભૂતિ તો ભાંતિ છે. ભ્રાંતિ જે ખરેખર છે જ નહીં તેના માટે વાણીનો પ્રયોગ કરવો વ્યર્થ છે. ગત જે ભ્રાંતિમય છે તો પછી આવી ભ્રાંતિના વર્ણન માટે વાપરવામાં આવેલી વાણી કે શબ્દો માત્ર ભાષાનો વિલાસ છે અથવા નિરર્થક વાણીનો શ્રમમાત્ર છે. તેથી પ્રપંચ શબ્દવર્જિત છે, (૩) જગત કે પ્રપંચની સત્તા અથવા અસ્તિત્વ પ્રાતિભાસિક છે. અર્થાત્ તેનું અસ્તિત્વ સ્વપ્નવતુ છે જે એક સમયે સ્વપ્નમાં જ જણાય છે. mતને સાચી સત્તા નથી તો પછી તેનું વર્ણન કરવામાં શબ્દોનો ઉપયોગ કરવો વ્યર્થ છે. જે સ્વપ્ન જેવું છે તેની સ્તુતિ કરો કે નિંદા બધું જ સમાન છે. સ્વપ્ન જેમ પ્રતિભાસિક સત્તાવાળું ગત પણ ક્ષણજીવી છે તેથી વાણીનો ઉપયોગ અર્થહીન છે, (૪) પ્રપંચ અનિર્વચનીય છે તેથી વાણીનો વિષય જ નથી. પ્રપંચ અનિર્વચનીય છે અથત મિથ્યા છે. અને મિથ્યા એટલે જેને સતું કે અસત્ કંઈ જ ન કહેવાય છે. જે પ્રપંચ સતુ હોય તો તેને વિશે કંઈ કહી શકાય, અગર તેનું વર્ણન થઈ શકે. પણ ગત સત્ નથી. પ્રપંચ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy