SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૭) અગમને વાંચે તે આત્મા મૌનનું શ્રવણ કરે તે મુમુક્ષુ -નાનાલાલ (ઉપનિષદપંચક) ગુરુના મૌનમાંથી જ તો સર્જાયાં છે શા; પ્રગટ થઈ છે શ્રુતિ; ગવાઈ છે સ્મૃતિ અને તેથી જ કહ્યું છે કે ગુરના મૌનમાં સ્થિત થવા; તેના મૌનને જાણવાનું પ્રણિપાત દ્વારા, સેવા દ્વારા, તેને શરણે જાવ. પ્રશ્ન પૂછો અને મૌન થઈ શ્રવણ કરો. “તરદ્ધિ કાન પારનેર સેવર'. આવો સંકેત પ્રદાન કરવા માટે પણ કહ્યું છે કે “વધ: સર્વતા તત્ મને'. વિવકીએ સર્વદા મૌનરૂપ થવું. અર્થાતુ ગુરુ સમક્ષ વાદવિવાદના ત્યાગરૂપે મૌન અને બ્રહ્મ જાણ્યા પછી; “સ્વ”સ્વરૂપને પિછાન્યા પછી પણ મૌન જ અભિપ્રેત છે. હવે ભગવાન શંકરાચાર્યજી શા માટે મૌન ધારણ કરવું તેનું તબદ્ધ કારણ સમજાવે છે. “વાવો યમત્રિવર્તિ તત્વનું ન શક્યો” “જે (બ્રહાથી) વાણી આદિ પાછાં ફરે છે; તે (બ્રહ્મનું વર્ણન કોના દ્વારા શક્ય છે!” અર્થાત્ બ્રહ્મ તો વાચાતીત છે તેથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. તેથી મૌન જ ઉચિત છે. તેનો અર્થ એ જ થયો કે જ્યાં જ્યારે બ્રહ્મચર્ચા કે બહ્મ વિશે વાદવિવાદ થતો હોય ત્યાં મૌન રાખવું. બ્રહ્માથી ભિન્ન, અન્ય જે ગત છે; જે દશ્યપ્રપંચ છે, તેના વિશે જ વાણીનો પ્રયોગ કરવો જોઈએ તેવી સામાન્ય માનવીની લૌકિક સમજ છે. કારણ કે બ્રહ્મ અદશ્ય, અનામી અને નિરાકાર છે તેથી તેનું વર્ણન ન થઈ શકે; પણ જ્જત તો વ્યક્ત છે, દશ્ય છે, નામી અને સાકાર છે તેથી તેનું વર્ણન તો જરૂર વાણી દ્વારા થઈ શકે. આવી લૌકિક માન્યતાનો પણ અહીં શ્લોક ૧૦૮ મુજબ ઇન્કાર કરવામાં આવે છે. प्रपञ्चो यदि वक्तव्य: सोऽपि शब्द विवर्जितः॥१०८॥ “જે પ્રપંચ વાણી દ્વારા વર્ણવી શકાય (એમ કહો) તો તે પણ શબ્દવર્જિત છે, અર્થાત્ અનિર્વચનીય છે.” બ્રહ્મ વાણીનો વિષય નથી તે તો સ્પષ્ટ છે. પણ ક્વત કે દશ૩પ્રપંચ પણ વાણીનો વિષય નથી તે સમજવું થોડું કઠિન છે, છતાં સત્ય છે. જે સરળ હોય, સારું હોય, તે સાચું હોય તેવું કદી નહીં અને સમજવું
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy