SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૬) વસ્તુ નામ માત્ર પણ નથી. બીજી વસ્તુ હોય તો તેમાં ભાવના કરવી પડે, જયાં બીજી વસ્તુ જ નથી ત્યાં આપણા તરફથી ભાવના કેવી? ભાવના આપણાં તરફથી થતી હોય છે, જેમાં દ્વત જેવો ભાવ છે. જ્યારે શાનની પ્રધાનતા તો અધિષ્ઠાનથી થતી હોય છે. યોગમાં મનને, ઈન્દ્રિયોને mતથી-વિષયથી પાછું ખેંચવાની વાત છે, વૃત્તિનિરોધની વાત છે. જયારે વેદાનમાં મન કે ઇન્દ્રિયોને ન તો કયાંયથી પાછી બોલાવવી છે, કે ન ક્યાંય મોક્લવી છે. જયાંથી મનને પાછું બોલાવશો તે પણ બ્રહ્મ છે; અને જ્યાં મોક્લશો તે પણ બ્રહ્મ છે. વૈતમાં જ આ બધી ખેંચતાણ છે. વૃત્તિનિરોધ છે. પણ અધિષ્ઠાનના જ્ઞાનમાં જ્યાં વૈત નાશ થયો છે; બધું એક જ થઈ ગયું છે ત્યાં મન જ્યાં જ્યાં જાય છે ત્યાં સમાધિસ્થ થઈ જાય છે. આમ વેદાન્તના જ્ઞાનમાં જ્યાં જ્યાં મન જાય ત્યાં સમાધિસ્થ થઈ જાય તેમ કહેવાયું તે જ્ઞાનના સંદર્ભમાં “નિયમ શબ્દનો અર્થ શું છે તે સમજવા આપણે પ્રયત્ન કરીએ. જ્ઞાનના સંદર્ભમાં અને વેદાન્તના સંસર્ગમાં નિયમ નો તત્વાર્થ સમજાવતાં આદિ શંકરાચાર્યજી કહે છે કે सजातीयप्रवाहश्च विजातीयतिरस्कृतिः। नियमो हि परानन्दो नियमः क्रियते बुधैः ॥१०५॥ સનાતીયપ્રવાહ:- આત્મા સંબંધી વિચારવાળો ચિંતનપ્રવાહ ચલાવવો વિનાતીય તિરસ્કૃતિ =આત્મા સિવાયના અન્ય પદાર્થોના વિચાર કે ચિંતનનો ત્યાગ કરવો તે પનઃ નિયમઃ જ્યિો પરમ આનંદ આપવાવાળો આ નિયમ છે, વધે નિયમ: ચિતે જ્ઞાની જ (આવો) નિયમ પાળે છે. સનાતીયવાદ અર્થાત્ આત્માના સંદર્ભમાં થતો વિચાર, આત્માના સંબંધમાં થતું આત્મચિંતન, જેમાં આત્મવસ્તુની જ વૃત્તિ દ્વારા મનન થતું હોય છે. અર્થાત્ આવા વિચારમાં સજાતીય-પ્રત્યય-પ્રવાહ નદીની જેમ વિના પ્રયત્ન સહજ અને સ્વાભાવિક રીતે વહેતો હોય છે. આવા સતત, નિરંતર, અખંડિત, અખ્ખલિત વહેતા વિચારપ્રવાહમાં શબ્દો અનેક, પણ સંકેત એક હોય છે; વિચારો અનેક, લક્ષ્ય એક હોય છે. જેમ નદીના ઓવારા અનેક, લક્ષ્ય
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy