________________
(૨૮૫)
ઉત્તર- કૃપા કરી તમે હવે જાગીને સાંભળો! પહેલાં મેં કહ્યું હતું કે પ્રારબ્ધ શરીરને જ હોય!
પણ હવે કહું છું કે શરીરને પ્રારબ્ધ હોય છે તે પણ ભ્રાંતિ છે. " शरीरस्यापि प्रारब्धं कल्पना भान्तिरेव हि "
(વિ. ચૂ. ૪૬૨) જેવી રીતે સ્વપ્નનું શરીર દેખાય; અનુભવાય; સુખી- દુ:ખી થાય; જન્મે અને મરે છતાં તે સ્વપ્નદેહ ભ્રાંતિ છે. તેવી રીતે જાગ્રતનો દેહ પણ ભ્રાંતિ રૂપે જ પ્રતીત થાય છે. જાગ્રતના દેહની પણ હયાતી; જન્મ અને મૃત્યુ માત્ર પ્રતીતિ જ છે. અર્થાત્ દેહ કલ્પિત છે; આરોપ છે; અધ્યસ્ત છે. જો દેહના નામ અને આકાર અધ્યસ્ત હોય ચૈતન્ય પર, તો તે દેહનું સાચું અસ્તિત્વ જ નથી.
જો દેહને અસ્તિત્વ નથી તો જન્મ ક્યાં ?
જો દેહને જન્મ નથી તો પ્રારબ્ધ કેવું? ભ્રાંતિનો વળી જન્મ કેવો ?
જન્મ નથી તો નાશ કેવો ?
આમ, નથી જન્મ શરીરને કે શરૂઆત પ્રારબ્ધને, નથી અંત દેહનો કે પ્રારબ્ધનો,
અને આત્મા તો અનાદિ અનંત છે.
તેથી સ્પષ્ટ છે કે નથી પ્રારબ્ધ શરીરને... નથી પ્રારબ્ધ આત્માને...
હવે બીજી શંકા લઈએ કે જો પ્રારબ્ધનો ભોગ વિના નાશ નથી અને પ્રારબ્ધક્ષય વિના શરીરનું પતન નથી તેથી તો શરીરના પતન પછી જ મુક્તિ કે મોક્ષ મળે; અને જો તે સાચું હોય તો જીવનમુક્તિની જે વાત છે તે વ્યર્થ છે; ખોટી છે; તે જ સાબિત થાય છે.
સમાયાન
હકીકતમાં મુક્તિની વાત જે બંધનમાં છે તેના માટે છે. અવિદ્યાની નિદ્રામાંથી ગાડવા માટે છે. વાસ્તવમાં જે ‘સ્વ’સ્વરૂપને જાણી તેમાં સ્થિર થાય છે તેને માટે આત્મભાવમાં, કે ‘સમભાવમાં અર્થાત્ સમત્વ'માં, નથી બંધન કે નથી મોક્ષ...
19
“સા મે સમત્વ ન મુનિ બંધઃ