SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૪) શકાય છે. જો ઇન્દ્રિયનો કે દષ્ટિનો વિધ્ય આત્મા થઈ શકે તો તો અનેક ભ્રમ થવાની શક્યતા રહેલી છે. કારણ કે જેને “ઓપ્ટિકલ ઇલ્યુસન કે દષ્ટિભ્રમ કહે છે તેનાથી તો આત્મા છે તેવો તો નહીં જ દેખાય પણ કદાચ વિકૃત કે જુદો પણ દેખાય. જેમ કે ગાડીના સમાંતરે જતા પાટા ભેગા થતા દેખાય છે. ક્ષિતિજમાં ધરતી અને ગગનનું મિલન સર્જાય છે. અને નીચેની આકૃતિમાં બન્ને લીટી સરખી જ છે છતાં વિરુદ્ધ દિશામાં જતાં પાંખિયાંથી નાની મોટી દેખાય છે. એટલું જ નહીં પણ જો ઍટમ, ઈલેક્ટ્રૉન અને ન્યુટ્રૉન દૃષ્ટિથી દેખાતા નથી છતાં બુદ્ધિ દ્વારા સમજાવી શકાય તો પછી આત્મા પણ દેખાતો નથી છતાં સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સમજાવી શકાય તેવો છે તેવું કહેવામાં ક્યાં છે કોઈ દોષ? આ સૂક્ષ્મ બુદ્ધિ તે જ જ્ઞાનચક્ષુ છે જેથી આત્મા દશ્ય છે. પણ જેની પાસે અજ્ઞાનચક્ષુ છે તેને તે દેખાતો તો નથી પણ ઊલટું દેહ જેવો ભાસે છે. "तद्वदात्मनि देहत्वं अज्ञानयोगतः पश्यति" काचभूमौ जलत्वं वा जलभूमौ हि काचता। तद्वदात्ममि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८२॥ વાવપૂણી નતત્વમૂત્રકાચની ભૂમિમાં જળપણું વા..=અથવા નમૂની દિ વાવતા=જળની ભૂમિમાં કાચપણું(જેમ દશ્ય છે.) તવત્ ત્મિનિ હૃત્વ=તે જ પ્રમાણે આત્મામાં દેહપણું અજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ દેખાય છે. કાચની ભૂમિમાં જળ અને જળની ભૂમિમાં કાચ દેખાય તેવી ભ્રાંતિ ઊભી થઈ શકે તેમ છે. દષ્ટિભ્રમનાં અનેક દષ્ટાંતોમાં એવું જોઈ શકાય છે. જો કોઈ મનોવૈજ્ઞાનિક લૅબોરેટરીમાં પ્રત્યક્ષીકરણ અને દૃષ્ટિભ્રમના પ્રયોગો
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy