SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) गृह्यमाणे घटे यद्वन्मृत्तिका याति वै बलात्। वीक्ष्यमाणे प्रपंचेऽपि ब्रह्मैवाभाति भासुरम् ॥ ६७ ॥ યુવતુ= જેવી રીતે રામા પટે= ઘડો પકડતાં Bત્તિ વતત જે યાતિ= માટી પોતાની મેળે સહજ સ્વભાવે પકડાય છે, તે જ પ્રમાણે) વીચમા veગત પકડતાંની સાથે (પ્રપંચ જોતાંની સાથે જ) મામ્ વાહ્ય પિ= પ્રકાશવાન બ્રહ્મ પણ પર્વ મામતિ = સાથે જ દેખાય છે. પ્રપંચ બ્રહ્મમાં અધ્યારોપ છે. અને તેથી જ આરોપ વિદ્યમાન નહોતો ત્યારે પણ અધિષ્ઠાન તો હતું જ અને આરોપ નહીં હોય ત્યારે પણ અધિષ્ઠાન તો હોય છે જ. આરોપના જ્ઞાન સમયે પણ અધિષ્ઠાન બ્રહ્મ તો છે જ, તેટલું જ નહીં પણ બ્રહ્મ જ પ્રપંચરૂપ ભાસે છે. એ દષ્ટિએ જો પ્રપંચ દશ્ય છે તો તેનું કારણ જરૂર છે, કારણ કે કારણ વિના કાર્ય હોઈ શકે નહીં. જે કોઈ કહે કે બ્રહ્મ' mતનું સાચું વાસ્તવિક કારણ નથી. તો પછી સ્પષ્ટ છે કે પ્રપંચ” કે “જગત” સાચું વાસ્તવિક “કાર્ય પણ નથી. અર્થાત્ કાર્ય-કારણ સાપેક્ષ છે અને સાપેક્ષતાના દષ્ટિકોણથી બન્ને નિત્ય છે. અને નિરપેક્ષ દૃષ્ટિકોણથી નથી કોઈ કારણ, નથી કોઈ કાર્ય જેવી રીતે ઘડો પકડતાં માટી જ હાથમાં આવે છે, ફીણ, પરપોટા, મોજાં પકડતાં પાણી જ હાથમાં આવે છે, તેવી જ રીતે જગતની કોઈ પણ વસ્તુ વ્યક્તિને આવકારતાં, સ્વીકારતાં પરમાત્માનો જ સ્વીકાર થાય છે, પરબ્રહ્મનો જ સંસ્પર્શ થાય છે અને વસ્તુ કે વ્યક્તિને ઇન્કારતાં, અપમાનિત કરતાં, પરમાત્માનો જ ઇન્કાર કે અપમાન થાય છે. જેમ કોઈને ઘરેણાં ન જોવાં હોય તેને સોનું ન જ દેખાય. ઘડાને ધિક્કારે છે તે માટીને જ ધિક્કારે છે. તેમ સંસારના પદાર્થો, પ્રાણીઓ, માનવીઓનો તિરસ્કાર તે પરમાત્માનો જ તિરસ્કાર છે. જડ પદાર્થો પણ પરબ્રહ્મના ચૈતન્ય વગર પ્રકાશિત થતા નથી. mતને જાણવા જ્ઞાન જરૂરી છે. અને બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે. તેથી જ બ્રહ્મથી જે દેખાય છે તે પણ બ્રહ્મ જ છે, કારણ કે mત' કર્યું છે અને બ્રહ્મ કારણ છે. અને કાર્ય-કારણ અભિન્ન છે. તેથી જેમ કાર્યના દર્શનથી કારણના દર્શન થાય; તેમ mતનાં દર્શનથી જ બ્રહ્મનાં દર્શન થાય છે. અને માટે જ શ્રી રમણ મહર્ષિએ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy