SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૬). તેવું આપણને સમજાય છે. છતાં તે હકીકત છે. અને અર્જુન જેવો પરાક્રમી સેનાધિપતિ પણ યુદ્ધભૂમિ છોડવાની વાત કરે છે કારણ કે તે મોહગ્રસ્ત છે. સામે ઊભેલા જો બીજા હોય, કોઈ લોહીની સગાઈ કે આસક્તિ જો તેઓ માટે ન હોય તો અર્જુનને તેમનો સંહાર કરવામાં નથી કોઈ આપત્તિ, નથી કોઈ પાપભાવ, નથી કોઈ સંકોચ, નથી સંદેહ. પણ આ તો સામે ગુર છે, ભાઈ છે, સ્નેહી ને સગા છે, પોતાના અને પારકા તેને દેખાય છે, તે છતી આંખે મોહાંધ છે, આ મોહનું મૂળ કારણ ભેદદષ્ટિ છે. હું મારનાર છું અર્થાત્ કર્તા છું, કોઈ મરનાર છે એટલું જ નહીં પણ જે મરશે તે “મારા” છે. પરાયા નથી, આમ ભદદર્શનથી જ મોહ જાગે છે. અને તેથી જ અર્જુન શોકગ્રસ્ત છે. અર્જુન જેવી જેની જેની ભેદમય દષ્ટિ છે તેને જ યુદ્ધભૂમિ ત્યજવા વિચારવું પડે, અને જેને બીજાની ધરતી, રાજ્ય, સત્તા પચાવી પાડવાં હોય, તેને પણ આક્રમણ કરી સત્તાસંપત્તિ માટે પ્રયત્ન કરવો પડે; પણ બન્નેને ભેદદષ્ટિ હોવી જોઈએ. જે અભેદ દષ્ટિથી જગતને જોવાનો પ્રયત્ન કરે તેને કોઈ પર આક્રમણ કરવાનું મન જ ન થાય, કારણ કે બધું તેનું જ છે, પછી કાં કોઈનું પડાવી પાડવું? બધામાં તેવો અભેદદશી પોતાને જ જુએ પછી પોતાને ન પોતાનો રાગ હોય, ન લે. પોતે સ્વરૂપે નિરાકાર, અજન્મા, અવિનાશી આત્મા, પછી ક્યાં છે અવિનાશી માટે શોક? અરે એકમાં પૂર્ણતા છે. તેથી નથી કોઈ માટે મોહ! કે ન તો કાઈનો સ્વીકાર કે ત્યાગ થઈ શકે!પૂર્ણમાં ઊણપનો અજંપો નથી. તેથી પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી. પૂર્ગમાં કોઈ વસ્તુ કે વ્યક્તિના નાશથી અપૂર્ણતા જન્મ લેતી નથી. તેથી નથી કોઈનો શોક કે નથી પૂઈને વસ્તુ, વ્યક્તિ, સત્તા, અને મહત્તા માટે મોહ. એકત્વ દર્શન પછી તે સર્વ કર્તવ્યથી મુક્ત થઈ જાય છે. હોતા જહાં પર મોહ હૈ ભય શોક રહતે હૈ વહાં રહતા નહીં જહાં મોહ છે; ભય શોક આતે નહીં તિહાં | નિર્મોહ જો નર હો ગયા; સંસાર સે સો તર ચૂકા કરના ઉસે નહીં શેષ હૈ, સબ કર ચૂકા સબ ધર ચૂકા જ્યાં શોક અને મોહ છે ત્યાં જ ભેદદષ્ટિ છે અને તેવી વ્યક્તિ માટે છે મારું ને મારા; આપણે આપણા ને અમારા છે; મારી અને અમારી પ્રતિષ્ઠામાં જ સંઘર્ષ છે. મારા અને પાયામાં જ મોહ છે. મારો અને પારકો, વેપારમિલકત, વૈભવ તેવા ભાવમાં જ સ્પર્ધા છે. મારી સ્ત્રી,
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy