________________
(૧૨૫) નથી નિરોધ, નથી વિષમ પણ હું તો અવિરોધ-સમત્વ “સમ:' છું. તેથી મારામાં નથી બંધન કે નથી મોક્ષ.
સવા કે સમત્વ ન મુક્તિને ન્યા. હું તો સમત્વ છું અને સમભાવમાં છે જ્યાં બંધન કે મુક્તિ? ક્યાં છે કઈ શિખ કે ગુર? ક્યાં કોઈ કારણ (પિતા) કે (કાય) પત્ર? કે ક્યાં જન્મ મારો કે મૃત્યુનો ભય? મને નથી બંધનની ભ્રાંતિ કે નથી મોક્ષની ચિંતા મને! મારા સ્વરૂપમાં મન નથી, તો તેની કલ્પના ક્યાંથી? અને મનની વિષમવિરોધી કલ્પના જ બંધન છે. તેથી મારે બંધન કેવું?
“યહ હૈ ભલા; યહ હૈ બૂરા; યહ પુણ્ય હૈ, યહ પાપ હૈ, યહ લાભ હૈ, યહ હાનિ હૈ, યહ શીત હૈ, યહ તાપ હૈ, યહ ગ્રાહ્ય હૈ, યહ ત્યાજ્ય હૈ, યહ આય હૈ યહ જાય છે
ઈસ ભાંતિ મનકી કલ્પનાબન્ધન યહી હલાય હૈ!” મારા શુદ્ધ સ્વરૂપમાં નથી વિષમ કલ્પના નથી વિરોધી સંકલ્પ; નથી' ભેદદશી મન. કારણ કે હું સમ: છું. સમતામાં નથી કંઈ ત્યાજ્ય, તેથી બંધનમાં ત્યાગની વ્યાકુળતા નથી. નથી સમત્વ ભાવમાં કંઈ પણ ગ્રાહ્ય, તેથી મુક્તિને સ્વીકારવાની આતુરતા નથી. આમ હું ગ્રાહ્ય-ત્યાજ્યથી મુક્ત નિત્યમુક્ત સમત્વ ચૈતન્ય છું તેવી અનુભૂતિને જ્ઞાનીજનો જ્ઞાન કહે છે. આવા જ્ઞાનની પરાકાષ્ઠા એટલે જ હું પરબ્રહ્મનું પરમધામ છું અને પરબ્રહ્મ જ મારું પરમપદ છે.
મામ્ પાન્તિઃ હું શાન્ત સ્વરૂપ છું, અથત મારામાં ચંચળતા નથી. મારામાં કોઈ પરિવર્તન નથી; નથી સંકલ્પોનો; ઉદય કે અસ્ત. આવી સમ શાન્ત મનની સ્થિતિ તે જ અ-મના પરિસ્થિતિ છે, અને વાસનાશૂન્ય અંત:કરણ છે જે આત્મજ્ઞાનનું અનિવાર્ય અંગ છે. ' આવી સ્થિતિ વિના સ્વરૂપનું જ્ઞાન થવું શક્ય નથી. આપણે વિચારીએ ! કે ઉગ આપણામાં ઊઠવો ન જોઈએ. જો હું શાન છું તો વિકારો ભલે મારામાં આવજા કરે પણ હું વિકારી ન થાઉં. જે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા વિકારોનો સંહાર કરવા, નિરોધ કરવા પ્રયત્નશીલ થઈશું, તેની વિરુદ્ધ પ્રતિક્રિયાનો મારો ચલાવીશું તો તત્કાળ આપણે અશાન્ત થઈશું વિકારી બનીશું. શાન સ્વરૂપથી દૂર ચાલ્યા જઈશું. તેથી વિકારોને દૂર