SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) પ્રાણસર્જન પાંચે અપંચીકૃત પંચમહાભૂતના રસગુણના અંશનો સરવાળો કરી તેમાંથી પાંચ પ્રાણનું નિર્માણ થયું. પ્રાણ એક જ છે. પણ કાર્ય જુદું જુદું કરે છે તેથી નામ બદલાયાં છે. 99 99 99 99 (૧)પ્રાણ....હૃદયપ્રદેશમાં છે (૨)અપાન....ગુદા (૩)સમાન....નાભિ (૪)દાન....કંઠ * ** (૫)વ્યાન....સર્વ શરીરમાં છે. સ્થૂળ દેહસન આપણે જોયું કે અપંચીકૃત પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર બની ચૂક્યું અને તેના નિર્માણમાં સત્ત્વગુણ ને રગુણનો ઉપયોગ થઈ ચૂક્યો. હવે રહ્યો માત્ર તમસ ગુણ જેમાંથી સર્જન થયું નથી. ઉપરાંત ‘સ્થૂળ’ શરીરના નિર્માણ માટે સૂક્ષ્મ પંચમહાભૂત કે તન્માત્રાને પણ સ્થૂળ કરવાં પડે તેથી પંચીકરણ થયું....બધા જ પંચમહાભૂત પરસ્પર મળી ગયા અને સ્થૂળ બન્યા. તેથી પંચીકૃત પંચમહાભૂત કહેવાયા. અને હવે તે પંચીકૃત પંચમહાભૂતના તમસ ગુણમાંથી સ્થૂળ શરીરની રચના થઈ. માટે તમો ગુણ દેહનું કારણ ગણાય અને શરીર તમસ ગુણનું કાર્ય કહેવાય છે. તેથી શ્લોકમાં જણાવ્યું છે કે “વેદ: તામસ મુખ્યતે” = દેહ તમોગુણનું કાર્ય છે.” આમ જે દેહ તમોગુણનું કાર્ય છે તે આત્મા કઈ રીતે કહેવાય ? આત્મા તો ત્રણે શરીરનો પ્રકાશક, સાક્ષી, શાતા ત્રણે ગુણથી ભિન્ન છે. આત્મા ગુણાતીત છે. અને દેહ ગુણનું સર્જન છે. આવી સ્પષ્ટ વાતને જે સમજતા નથી અને ઊલટું દેહને જ આત્મા માને છે તે અજ્ઞાની જીવો ભરબપોરે અજવાળું કરવા આગિયાની શોધ કરી રહ્યાં છે. દ: તામસ દેહ તામસ છે. બીજા અર્થ કે દૃષ્ટિકોણથી વિચારતાં તમસ એ જ અંધકાર. અંધકાર એ જ જડતાનો સ્વીકાર અને ચૈતન્યનો ઇન્કાર. આમ જે જડ શરીરને સ્વીકારે છે અને આત્માનો તિરસ્કાર કરે છે તે જીવતાં જ મોત આવકારે છે. કારણ ‘હું શરીર છું તે માન્યતા જ મૃત્યુ છે. જીવનનનો અંત છે. માટે જ શાન્તિપાઠમાં પ્રાર્થના કરીએ છીએ કે “તમસો મા ોતિર્ગમય'
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy