SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) સૌના પ્રકાશક આત્માને કેનોપનિષદે શ્રોત્રનો શ્રોત્ર, મનનું પણ મન, વાણીની વાણી, પ્રાણનો પણ પ્રાણ, આંખની આંખ છે તેમ કહ્યું અને તે રીતે જે આત્માને જાણે છે તે અમરતા પામે છે તેવી ઘોષણા કરી. "श्रोत्रस्य श्रोत्रं; मनसो मनो यद् वाचोहवाचं स उ प्राणस्य प्राण: चक्षुषः चक्षुः अतिमुच्य धीराः प्रेत्यास्माद् लोकात् अमृता भवन्ति ॥ ‘હિતામસ દેહને તમસનું કાર્ય કેમ કહ્યું? એ પ્રશ્નના સમાધાન માટે સામેના પાના ઉપર આપેલ નકશા તરફ નજર ફેરવો. તેથી સરળતા રહેશે. સૃષ્ટિની ઉત્પત્તિનો કમ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. ઉત્પત્તિ માટે માયા” જ ઉપાદાન કારણ છે તે સમજ ઉપરથી આગળ વધીએ. જે માયામાંથી માયા દ્વારા સર્વસ્વ સર્જયું હોય તો સ્વાભાવિક છે કે માયાના ત્રણ ગુણમાંથી જ શરીર બન્યું હશે. પણ માયાના ત્રણ ગુણ સત્ત્વ, રજસ અને તમસમાંથી ક્યું કર્યું શરીર બન્યું તે જાણવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ કે તમસ ગુણમાંથી કઈ રીતે સ્થૂળ શરીર (ફિઝિકલ ગ્રોસ બોડી)બન્યું. શ્રુતિના સંદર્ભમાં વિચારતાં પ્રથમ આકાશ, તેમાંથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી એમ પંચમહાભૂત સર્જાયાં. "तस्माद्वा एतस्मादात्मन आकाशस्संभूतः। आकाशाद्वायुः। वायोरनिः। अनेरापः। અર્થ: કૃથિવી (તત્તિરીય ઉ. -બ્રહ્માનન્દવલ્લી) સૃષ્ટિના આરંભમાં આ પાંચે તત્ત્વો સૂક્ષ્મરૂપે હતાં તેથી અપચીત પંચમહાભૂત કહેવાયાં. પછી જીવોના સુખભોગ માટે ઈશ્વરના સંકલ્પથી પાંચે અપંચીકત પંચમહાભૂતોનો પરસ્પર એકબીજામાં મેળાપ થયો અને સ્થળ સુષ્ટિની રચના થઈ. આવા પંચમહાભૂતના મેળાપને પંચીકરણ કહેવાય છે. હવે આ પંચભૂતોમાંથી શેમાંથી શું બન્યું તે જાણવાથી સમજાશે કે સ્થૂળ શરીર કેવી રીતે તમોગુણનું કાર્ય છે. અપંચીકત પંચમહાભૂતને સૂક્ષ્મ ભૂતો અથવા તન્માત્રા પણ કહેવાય છે. જ્યારે આ પાંચે તત્ત્વો સૂક્ષ્મ રૂપે હતાં ત્યારે જ તેમાંથી સૂક્ષ્મ શરીરની
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy