________________
દાતણ માટે માર્ગદર્શન. દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી.
જો દાતણની ચીર પોતાની સામે પડે તો સર્વ દિશાઓમાં સુખ-શાંતિ પામે. વળી દાતણની ચીર ઊભી રહે તો સુખ માટે થાય, એથી વિરુદ્ધ હોય તો દુઃખદાયી સમજવું. ક્ષણવાર ઉભી રહીને પછી જો દાતણની ચીર પડી જાય તો શાસ્ત્ર જાણનારે એમ કહેવું કે આજે જરૂર મિષ્ટઆહાર મળશે. દાતણ કરવાના નિષેધ.
ખાંસી, શ્વાસ, અજીર્ણ, શોક, તૃષા, મોટું આવવું, મસ્તક, નેત્ર, હૃદય, કર્ણ એટલા રોગવાળાઓએ દાતણ કરવું નહીં. વાળ સમારવા અંગે.
માથાના વાળ નિત્ય સ્થિર થઈને કોઈની પાસે સાફ કરાવવા, પણ પોતે એક સાથે બે હાથવડે વાળ સમારવા નહીં. દર્પણ જોવાથી અગમચેતી.
તિલક કરવા કે મંગળ માટે દરરોજ દર્પણ જોવું, પણ દર્પણમાં જે દિવસે પોતાના મસ્તક વિનાનું પોતાનું ધડ દેખાય તે દિવસથી પંદર દિવસે પોતાનું મૃત્યુ જાણવું.
જે દિવસે ઉપવાસ, આયંબિલ અને એકાસણાદિનું પચ્ચકખાણ કરેલ હોય તે દિવસે મોટું, દાતણ કે મુખશુદ્ધિ કીધા વિના પણ શુદ્ધ જ સમજવું; કેમકે, તપ એ જ મહાફળકારી છે લૌકિકમાં પણ એ જ વ્યવહાર છે કે, “ઉપવાસાદિ તપમાં દાતણ કીધા વિના પણ દેવપૂજા કરવી.” ઉપવાસાદિમાં દાતણનો નિષેધ લૌકિકશાસ્ત્રોમાં પણ કહેલ છે. વિષ્ણુભક્તિચંદ્રોદયમાં કહેવું છે કે :
પડવે, અમાવાસ્યા, છઠ્ઠ, મધ્યાહ, નવમી અને સંક્રાંતિને દિવસે દાતણ કરવું નહીં. ઉપવાસમાં કે શ્રાદ્ધમાં દાતણ ન કરવું, કેમકે દાંતને દાતણનો સંયોગ સાત કુળને હણે છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, માંસત્યાગ એ ચાર વાનાં કોઈપણ વ્રતમાં જરૂર પાળવાં. વારંવાર પાણી પીવાથી, તાંબૂલ ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન સેવવાથી ઉપવાસનું ફળ હણાય છે.
સ્નાન કરવું હોય તો પણ જ્યાં કીડીનું દર, નીલફૂલ, સેવાલ, કુંથુઆ જીવ વિગેરે ઘણા
ન હોય, જ્યાં વિષમભૂમિ ન હોય, જ્યાં જમીનમાં પોલાણ ન હોય એવી જમીન ઉપર, ઉપરથી ઊડીને આવી પડતા જીવોની યાતનાથી, ગળણાથી ગાળેલા પરિમિત પાણીથી સ્નાન કરવું. શ્રાવકદિનકૃત્યમાં કહેલ છે કે :
ત્રસાદિ જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત કે સચિત્ત અને ગાળેલા પ્રમાણવંત પાણીથી વિધિપૂર્વક સ્નાન કરે. -
વ્યવહારમાં કહેવું છે કે :
નગ્ન થઈને, રોગી હોય ત્યારે, પરદેશથી આવીને, બધાં વસ્ત્ર સહિત, ભોજન કીધા પછી, આભૂષણ પહેરીને અને ભાઈ વગેરે સગાં-વહાલાંને મંગળ માટે વળાવી આવીને તરત સ્નાન