________________
૬૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ એક અંગુલના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહના (દેખાવ)વાળા, અસંશી (મનવગરના), મિથ્યાત્વી, અજ્ઞાની, સર્વ પર્યાપ્તિથી અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી કાળ કરનારા એવા સંમૂચ્છિમ જીવ ઉપજે છે, માટે બળખા, સળેખમ ઉપર ધૂળ કે, રાખ નાંખીને તેને જરૂર ઢાંકવા.” દાતણ માટે માર્ગદર્શન.
દાતણ વિગેરે કરવું હોય, તો નિર્દોષસ્થાનમાં જાણીતા વૃક્ષના પ્રાસુક અને કોમલ દંતકાષ્ઠથી અથવા દાંતની દઢતા કરનાર તર્જની આંગળીથી કરવું. દાંત આદિના મલ ઉપર ધૂળ નાંખવી.
વ્યવહારશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે :
“દાંત દેઢ કરવા માટે દાંતની પીઠિકા (પેઢીયા-પેઢાં) પ્રથમ તર્જની અંગુલીથી ઘસવી પછી આદરપૂર્વક (જરૂર) દાતણ કરવું.” દાતણ કરતાં શુભસૂચક અગમચેતી.
દાતણ કરતી વખતે જે પાણીના કોગળા કરવામાં આવે છે, તેમાં પહેલો કોગળો કરતાં તેમાંથી જો એક બિંદુ ગળામાં ઊતરી જાય, તો તે દિવસે તુરત ઉત્તમ ભોજન મળે. દાતણનું પ્રમાણ અને કરવાની રીત.
વાંકું નહીં, વચ્ચે ગાંઠ વિનાનું જેનો કૂચો સારો થઈ શકે એવું, જેની અણી પાતળી હોય, દશ આંગળ લાંબું, પોતાની ટચલી આંગળીના અગ્રભાગ જેટલું જાડું, જાણીતા ઝાડનું, સારી જમીનમાં ઉત્પન્ન થયેલા દાતણથી ટચલી અને દેવપૂજણી અંગુલીની વચ્ચે રાખીને પહેલાં ઉપલી જમણી દાઢ અને પછીથી ઉપલી ડાબી દાઢને ઘસીને પછી બન્ને નીચેની દાઢને ઘસવી. ઉત્તર કે, પૂર્વદિશા સામે સ્થિર આસને દાતણ કરવામાં જ ચિત્ત સ્થાપીને દાંતને કાંઈ પીડા ન થાય, તેમ મૌન રહી, દાતણ કરવું. દુર્ગધવાળું, પોલું, સુકું, મીઠું, ખાટું અને ખારું દાતણ ઉપયોગમાં લેવું નહીં. દાતણ ન કરવા વિષે.
વ્યતિપાતમાં, રવિવારે, સંક્રાંતિને દિને, ગ્રહણ દિને અને પડવો, પાંચમ, આઠમ, નવમી, પુનમ, અમાવાસ્યા એ છે તિથિઓએ દાતણ ન કરવું. વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીત.
દાતણ ન હોય, તો મુખશુદ્ધિ કરવાનો વિધિ એવો છે કે, બાર કોગળા પાણીના કરવા અને જીભની ઊલ તો જરૂર દરરોજ ઉતારવી, જીભ ઉપરથી ઊલ ઉતારવાની દાતણની ચીર, જીભને ધીરે ધીરે ઘસીને, તે ચીર, પોતાની સન્મુખ પવિત્ર જગ્યાએ ફેંકવી.