________________
૪૭
ખાદ્ય વસ્તુનો કાળ. આટો મિશ્ર અને સચિત્ત કયાં સુધી.
નહિં ચાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસર અને પોષમાં ત્રણ દિવસ સુધી, મહા અને ફાગણમાં પાંચ પહોર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પ્રહર સુધી, જેઠને આષાઢમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે. ત્યારપછી અચિત્ત ગણાય છે અને ચાળેલો આટો તો બે ઘડી વાર પછી અચિત્ત થઈ જાય છે.”
પ્રશ્ન :- અચિત્ત થયેલ આટો અચિત્ત ભોજન કરનારને કેટલા દિવસ સુધી કહ્યું ?
ઉત્તર - એમાં દિવસનો કાંઈ નિયમ નથી, પણ સિદ્ધાંતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવાં-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણકાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિની અવધિ જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, આદિમાં ફેરફાર થાય નહીં અને ઈયળ વિગેરે જીવો પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જો વર્ણાદિનો ફેરફાર થાય તો ન કલ્પ અને અવધિ પૂરી થયા છતાં વર્ણાદિ ન ફર્યા હોય તો પણ કલ્પે નહીં.
સાધુને આશ્રયીને સાથવાની (શેકેલા ધાન્યના લોટની) યતના કલ્પવૃત્તિના ચોથા ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ, નગર ઇત્યાદિમાં સાથવામાં જીવોત્પત્તિ થતી હોય, ત્યાં તે લેવો નહીં. લીધા વિના નિર્વાહ ન થતો હોય, તો તે દિવસનો કરેલો લેવો. તેમ છતાં પણ નિર્વાહ ન થાય, તો બે-ત્રણ દિવસનો કરેલો ને ચાર-પાંચ દિવસનો કરેલો હોય, તો તે સર્વ ભેગો લેવો.
તે લેવાની વિધિ આ પ્રમાણે છે - ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર માત્ર કંબલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવો પછી ઊંચા મુખે પાત્ર બંધન કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ
જ્યાં વળગ્યું હોય, તે ઉપાડીને ઠીકરામાં મૂકવું એમ નવ વાર પ્રતિલેખન કરતાં જો જીવ ન દેખાય, તો તે સાથવો વાપરવો અને જો જીવ દેખાય. તો ફરી નવ વાર પ્રતિલેખન કરવું. તો પણ જીવ દેખાય તો ફરી નવ વખત પ્રતિલેખન કરવું એ રીતે શુદ્ધ થાય તો વાપરવો અને ન થાય તો પરઠવવો.
તેમ છતાં નિર્વાહ ન થતો હોય તો, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવો. કાઢી નાંખેલી ઈયળ વિગેરે જીવ ઘરટ્ટ વિગેરેની પાસે ફોતરાનો હોટો ઢગલો હોય ત્યાં મૂકવા, તેવો ઢગલો ન હોય તો, ઠીકરામાં થોડોક સાથવો નાખી બાધા ન થાય તેમ મૂકવા. પકવાન્ન આશ્રયી કાળ નિયમ. -
સર્વ જાતિનાં પફવાન્ન વર્ષાઋતુ (ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીતતુ (શિયાળા)માં એક મહિનો અને ઉષ્ણકાળ (ઉનાળા)માં વીસ દિવસ સુધી કલ્પે એવો વ્યયવહાર છે.”
આ ગાથા કયા ગ્રંથની છે એનો નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે - જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી કલ્પનીય છે. બાકી દિવસનો કાંઈ પણ નિયમ નથી.