________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
વળી શાલી પ્રમુખ ધાન્ય માટે તો ભગવતીસૂત્રના છઠ્ઠા શતકે પાંચમા ઉદ્દેશમાં સચિત્તઅચિત્તના વિભાગ બતાવતાં એમ કહેલ છે કે -
૪૬
(ભગવંતને શ્રી ગૌતમે પૂછ્યું કે) “હે ભગવાન્ ! શાલિ, કમોદના ચોખા, કલમશાળી ચોખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠામાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ભરી રાખ્યાં હોય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યા હોય, કોઠીમાં નાંખીને કોઠીનાં મુખ લીંપી દીધાં હોય, ચોતરફથી લીંપી લીધેલ હોય, ઢાંકણાંથી મજબૂત કીધેલાં હોય, મોહોર કરી મૂક્યાં હોય, કે ઉપર નિશાન કીધાં હોય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ (ઉગવાની શક્તિ) કેટલા વખત સુધી રહે છે ?
(ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે) “હે ગૌતમ ! જઘન્યથી (ઓછામાં ઓછી) અંતર્મુહૂર્ત (કાચી બે ઘડી વાર) યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કોઈકમાં યોનિ રહે છે. ત્યારપછી યોનિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે.’'
વળી પૂછે છે કે -
અન્ન મંતે લાય-મજૂર-તિલ-મુળ-માસ-નિાવ વુન્ત્ય-અભિમંતા-સફળ पलिमंथग- माइण एएसिणंधन्नाणं- अहा सालीणं तहा एयाणवि णवरं पंच संवच्छाराई મેમં તું એવ ॥
પ્રશ્ન ઃ- “હે ભગવન્ ! વટાણા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ચણા, એટલાં ધાન્યને પૂર્વોક્ત રીતે રાખી મૂક્યાં હોય, તો કેટલો કાળ તેઓની યોનિ રહે છે ?' ઉત્તર ઃ- જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યાર પછી પૂર્વોક્તવત્ અચિત્ત થઈ જાય છે.
પ્રશ્ન :- હે ભગવન્ ! અળસી, કસુંબો, કોદરા, કાગ, બંટી, રાલો, કોઠુસગ, શણ, સરસવ, મૂળાનાં બીજ એ વિગેરે ધાન્યની યોનિ કેટલાં વર્ષ રહે છે ?
ઉત્તર :- હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે રહે તો સાત વર્ષ સુધી યોનિ સચિત્ત રહે છે. ત્યારપછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણેના જ અર્થની ત્રણ ગાથાઓ બનાવેલી છે.)
કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બૃહત્કલ્પના ભાષ્યમાં લખેલ છે કે, સેવું તિવાસિાયં શિન્નતિ સેવું ત્રિવર્ષાતીત વિઘ્નસ્તોનિમેવ ग्रहीतु कल्पते । सेडुकः कर्ष्णास इति तद्वृत्तौ ॥
કપાસીયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય.
૧. પ્રાકૃત કલાય શબ્દનો પર્યાય લખનાર શ્રાદ્ધવિધિના ટીકાકાર ત્રિપુટ એવો પર્યાય લખ્યો છે. એનો અર્થ મક્કાઈ' થાય છે.