________________
૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જેમકે, કાચું પાણી, કાચાં ફળ, કાચાં ધાન્ય, એઓને ઘણું ઝીણું વાટેલું મીણ દઈ ખૂબ મર્દન કીધેલ હોય, તો પણ પાયે અગ્નિ વિગેરે પ્રબ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં, જે માટે ભગવતી સૂત્રના એકવીશમાં તકે ત્રીજા ઉદ્દેશમાં કહેલ છે કે,
વજય શિલા ઉપર મય વાટવાના પથ્થરથી પૃથ્વીકાયનો ખંડ (કાચી માટી વિગેરેનો કટકો) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તો પણ કેટલાક જીવ ચંપાણા ને કેટલાક જીવને ખબર પણ પડી નથી.” (એવું સૂક્ષ્મપણું હોય છે, માટે પ્રબળ અગ્નિના શસ્ત્ર વિના અચિત્ત થતાં નથી.)
વળી સો યોજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ (ઝીણી દ્રાક્ષ), ખાર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, તીમજાં, જળદાળું, પીસ્તાં, ચણકબાબા (કબાબચીની), સ્ફટિક જેવો ઉજ્જવળ સિંધવ પ્રમુખ ખાર, સાજીખાર, બીડવણ (ભઠ્ઠીમાં પાકેલું લૂણ) બનાવટથી બનાવેલ હરકોઈ જાતિનો ખાર, કુંભારે મર્દન કરેલી માટી, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મોથ, કોંકણ દેશનાં પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગોડા અને સોપારી પ્રમુખ સર્વ અચિત્ત સમજવા એવો વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહેલ છે કે :
जोयणसयं तु गतुं, अणहारेणं तु भंडसंकंती ॥
वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ॥१॥ “લૂણ વિગેરે સચિત્ત વસ્તુઓ જ્યાં ઉત્પન્ન થઈ હોય, ત્યાંથી એકસો યોજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પોતાની મેળે અચિત્ત બની જાય છે.”
પ્રશ્ન :- કોઈ પ્રબળ અગ્નિ આદિના શસ્ત્ર વિના માત્ર સો યોજન ઉપરાંત ગમન કરવાથી જ સચિત્ત વસ્તુઓ અચિત્ત કેમ થઈ શકે ?
ઉત્તર :- જે સ્થાનકે જે જે જીવો ઉપજેલા છે, તે તે, તે દેશમાં જ જીવે છે, ત્યાંના હવાપાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારનો અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પત્તિસ્થાનકે તેને જે પુષ્ટિ મળે છે તેવી તેને માર્ગમાં મળતી નથી તેથી અચિત્ત થાય છે, વળી એક સ્થાનકેથી બીજે સ્થાનકે નાંખતાં, પછાડતાં, અથડાવા-પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે; અથવા એક વખારથી બીજી વખારમાં નાખતાં, ઉથલપાથલ થવાથી અચિત્ત થાય છે. વળી સો યોજન ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વિગેરેથી અચિત્ત થાય છે.
લવણાદિ' એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાલ, મણસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સો યોજન ઉપરાંતથી આવી હોય, તો અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલાંક અનાચીર્ણ છે. પીપર, હરડે વિગેરે આશીર્ણ અને ખજુર, દ્રાક્ષ વિગેરે અનાચીર્ણ છે.