________________
૩૪૨
પરિશિષ્ટ नन्दन्तु सर्व-भूतानि, स्निह्यन्तु विजनेष्वपि ।
स्वस्त्यस्तु, सर्वभूतेषु, निरातंकानि सन्तु च ॥१३॥ પ્રાણીમાત્ર આનંદિત બનો ! દુશ્મનો ઉપર પણ સ્નેહ ભાવવાળા બનો ! સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! સહુ કોઈ નીરોગી બનો. ૧૩
मा व्याधिरस्तु भूताना-माधयो न भवन्तु च ।
मैत्रीमशेष-भूतानि, पुष्यन्तु सकले जने ॥१४॥ પ્રાણીઓને વ્યાધિ ન થાઓ ! ચિંતાઓ ન ઉપજો, સકલ જીવો પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવને પુષ્ટ કરો ! ૧૪
यो मेऽद्य स्निह्यते तस्य, शिवमस्तु सदा भुवि । 4 यश्च मां द्वेष्टि लोकेऽस्मिन्, सोऽपि भद्राणि पश्यन्तु ॥१५॥ “જે આજે મારા ઉપર સ્નેહ રાખે છે તેનું સદા કલ્યાણ થાઓ ! પરંતુ જે મારા ઉપર દ્વેષ ધારણ કરે છે તે પણ કલ્યાણમાળાને પામો ! ૧૫.
एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पंचेन्द्रियत्वाद्यधिगत्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥१६॥ એકેન્દ્રિયપણું આદિ ધારણ કરનારા જીવો પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પ્રાપ્ત કરીને બોધિબીજને-પ્રભુશાસનને બરાબર આરાધીને ક્યારે ભવભ્રમણના કષ્ટથી છૂટશે? ૧૬
या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः ।
सर्वेप्युदासीन-रसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥१७॥ જગતનાં પ્રાણીઓની રાગદ્વેષાદિથી ઉપજેલી મન, વચન અને કાયાની પીડાઓ શાન્ત થાઓ ! બધા માધ્યસ્થના અપૂર્વ આનંદને પામો ! સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ ! ૧૭
तत्वं धर्मस्य सुस्पष्टं, मैत्रीभावविकासनम् ।
परोपकारनिर्माणं, शमवृत्तेरुपासनम् ॥१८॥ મૈત્રીભાવનો વિકાસ કરવો, પરોપકારનું નિર્માણ કરવું અને ઉપશમભાવની ઉપાસના કરવી એ સંક્ષેપમાં ધર્મનું અતિ સ્પષ્ટ રહસ્ય છે. ૧૮
मैत्र्यादिभावयोगेन, शुभध्यानप्रभावतः ।
सुख-सुखेनप्राप्नोति, जीवो मोक्षं न संशयः ॥१९॥ " મૈત્રી આદિ ભાવનાઓ વડે તથા શુભધ્યાનના પ્રભાવથી જીવ અત્યંત સુખપૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે એમાં સંદેહ નથી. ૧૯
धर्मस्य विजयो भूयाद्, अधर्मस्य पराभवः । सद्भावना प्राणभृतां, भूयाद् विश्वस्य मंगलम् ॥२०॥