________________
૨૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ તો પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તો અઠ્ઠાઈ, ચોમાસી વગેરે ઘણાં પર્વો છે. આરંભ અને સચિત્તાહારનો ત્યાગ.
પર્વને દિવસે આરંભ સર્વથા વર્જી ન શકાય તો પણ થોડામાં થોડો તો વર્જવો અથવા થોડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી તે કરવામાં ઘણો આરંભ થાય છે. ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે તેથી પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વર્જવો એમ સમજવું. માછલાંઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઇચ્છવા યોગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગે તો શ્રાવકે હંમેશાં સચિત્ત આહાર વર્જવો જ જોઈએ પણ કદાચ તેમ ન કરી શકે તો પર્વને દિવસે તો જરૂર વર્જવો જ જોઈએ.
તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું વસ્ત્ર વગેરે ધોવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેનાં મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ-ફળ વગેરે તોડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીપવું, માટી વગેરે ખણવી, ઘર વગેરે બનાવવું ઇત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વર્જવા. તે પોતાના કુટુંબનો નિર્વાહ આરંભ વિના કરી ન શકે તો કેટલોક આરંભ તો ગૃહસ્થ કરવો પડે, પણ સચિત્ત આહારનો ત્યાગ કરવો પોતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરવો. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય તો એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી (છૂટ) રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુનો નિયમ કરવો. અઠ્ઠાઈઓની વિચારણા.
આસોની તથા ચેત્રની અટ્ટાઈ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી ચોમાસાની તથા સંવત્સરીની અઠ્ઠાઈ, (આષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસી અને સંવત્સરી વગેરે પર્વોને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે -
संवत्सर चाउम्मासिएसु, अट्ठाहिआसुअ तिहिसु ॥
सव्वायरेण लग्गाई, जिणवर पूआ तव गुणसु ॥१॥ સંવત્સરી (વાર્ષિક પર્વની અઠ્ઠાઈ), ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ, ચૈત્રમાસની અને આસો માસની અઠ્ઠાઈ, તેમજ બીજી પણ કેટલીક તિથિઓમાં સર્વાદરથી જિનેશ્વર ભગવંતની પૂજા, તપ, વ્રત, પચ્ચખાણનો ઉદ્યમ કરે. શાશ્વતી અટ્ટાઈ સંબંધી વિચાર.
| (વર્ષની) છ અઠ્ઠાઈઓમાં ચેત્રની અને આશ્વિન માસની એ બન્ને અઠ્ઠાઈઓ શાશ્વતી છે. તે બન્નેમાં વૈમાનિક દેવતાઓ પણ નંદીશ્વરાદિ તીર્થે યાત્રા મહોત્સવો કરે છે. કહે છે કે -