________________
દ્વારોના નામ
“વીરજિન” પદથી એઓ ચાર મૂલાતિશય-૧. અપાયાપગમાતિશય (જેનાથી ઇતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે), ૨. જ્ઞાનાતિશય-ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩. પૂજાતિશય-દેવેન્દ્રોને પણ પૂજવા યોગ્ય અને ૪. વચનાતિશય-જીવો સ્વ-ભાષામાં સમજી શકે ઈત્યાદિ ગુણવાળી ઉત્તમ એવી વાણીયુક્ત છે, એમ જણાવ્યું છે. આ ગ્રન્થમાં જે જે દ્વારોનું વર્ણન કરવાનું છે, તેના નામો.
दिर्णरेत्तिपव्वचउमासिगवेच्छरजम्मकिच्चिदाराइं । .. सड्डाणणुग्गहट्ठा, 'सड्ढविहिए' भणिज्जंति ॥२॥ दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि ।
श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ॥२॥ ૧ દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩ પર્વ-કૃત્ય, ૪ ચાતુર્માસિક-કૃત્ય, ૫ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મકૃત્ય એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ “શ્રાવકવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે.
(ઉપરની) પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧ વિદ્યા, 'ર રાજ્ય, ૩ ધર્મ, એ ત્રણે, યોગ્ય (મનુષ્ય) ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ યોગ્ય કોણ . હોઈ શકે તે જણાવે છે.
सड्डत्तणस्स जुग्गो भद्दगपगई 'विसेसनिउणमई । नेयमग्गरई तह दढनिअवयणठिई विणिहिट्ठो ॥३॥ श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृतिः विशेषनिपुणमतिः । ..
न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ॥३॥ સર્વજ્ઞોએ, ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દઢ નિપ્રતિજ્ઞ સ્થિતિ-આવા ચારે ગુણયુક્ત શ્રાવકધર્મને યોગ્ય જણાવ્યો છે.
ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર માધ્યસ્થભાવ ધારણ કરવાનો ગુણ, કહ્યું છે કે,
(માર્યાવૃત્ત) रत्तो दुट्ठो मूढो पुव्ववुग्गाहिओ अ चत्तारि।
एए धम्माणरिहा अरिहो पुण होइ मज्झत्थो ॥१॥ ૧. રક્ત એટલે (દષ્ટિરાગી) એ ધર્મને અયોગ્ય છે.
જેમ ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં (વિશ્વસેન) રાજાનો પુત્ર ત્રિદંડીમત ભક્ત હતો, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબોધી દઢધર્મી (અંગીકાર કરેલા સમકિત ધર્મમાં દઢ) કર્યો;