________________
(દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય,
દિનકૃત્ય કહ્યા પછી હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂંજી સામાયિક કરવા વગેરે વિધિ સહિત પડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે. તેમાં સ્થાનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળો ઇત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજો કેટલોક વિધિ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં કાંઈક કહ્યો છે માટે અહીં કહેવામાં આવ્યો નથી. પ્રતિક્રમણ.
શ્રાવકે સમ્યકત્વાદિના સર્વે અતિચારની શુદ્ધિ તથા ભદ્રક પુરુષે અભ્યાસાદિ માટે દરરોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સમાન પ્રતિક્રમણ છે. માટે કદાચ અતિચાર લાગ્યા ન હોય તો પણ શ્રાવકે તે ખાસ કરવું.
સિદ્ધાંતમાં કહ્યું છે કે પહેલાં અને છેલ્લાં તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ દરરોજ જરૂરનું છે, અને બાકીના વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં કારણ હોય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. કારણ હોય તો એટલે કે અતિચાર લાગ્યો હોય તો બપોરના પણ પ્રતિક્રમણ કરે અને ન લાગ્યો હોય તો પૂર્વ ક્રિોડ વર્ષ પર્યન્ત પણ ન કરે. - ત્રણ પ્રકારનાં ઔષધ કહ્યાં છે તે એ કે :- ૧. પ્રથમ ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવો ઉત્પન્ન કરે, ૨. બીજું ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવા ઉત્પન્ન ન કરે. ૩. ત્રીજું ઔષધ રસાયન એટલે પૂર્વે થયેલો વ્યાધિ હોય તો તેને મટાડે અને વ્યાધિ ન હોય તો સર્વાગને પુષ્ટિ આપે તથા સુખની અને બળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થનારા દર્દોને થવા ન દે. પ્રતિક્રમણ કહેલા ત્રણ પ્રકારમાંનાં ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ
સામાયિક અને પ્રતિક્રમણમાં ભિન્નતા.
પ્રશ્ન:- આવશ્યકચૂર્ણિમાં કહેલો સામાયિક વિધિ તે જ શ્રાવકનું પ્રતિક્રમણ છે. કેમકે પ્રતિક્રમણના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવું એ સર્વ એમાં જ (સામાયિક વિધિમાં જ ઘટાવાય તેમ છે.) તે એ રીતે કે : પ્રથમ ૧. સામાયિક કરી પછી એક પછી એક એમ, ૨. ઈરિયાવહી, ૩. કાયોત્સર્ગ, ૪ ચઉવીસો, ૫. વાંદણાં અને ૬. પચ્ચકખાણ કરવાથી જ આવશ્યક પૂરાં થાય છે. તેમજ “સામયિકુમયસૉં” એવું વચન છે તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું નક્કી થાય છે.
ઉત્તર :- ઉપર કહ્યું તે બરોબર નથી. કેમકે સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમસિદ્ધ થતાં નથી. તે એમ કે - તારા અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઇરિયાવહીં અને વાંદરાં એ ત્રણ જ ખાસ દેખાડ્યાં છે; બાકીનાં દેખાડ્યાં નથી. તેમાં પણ ઇરિયાવહી પ્રતિક્રમણ