________________
शिवमस्तु सर्वजगतः ॐ ह्रीँ अर्हं नमः
तपोगच्छ्गगननभोमणि - श्रीरत्नशेखरसूरिविरचित
શ્રાદ્ધવિધિ પ્રકરણ
(સ્વોપજ્ઞ વિધિકૌમુદી ટીકાના)
ભાષાન્તર સહિત
ટીકાકારનું મંગલાચરણ (शार्दूलविक्रीडितवृत्तम् )
अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पंद, पञ्च श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मनाम् । द्वैधा पञ्च सुपर्वर्णां शिखरिण: प्रोद्दाममाहात्म्यतश्चेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥१॥
જેઓ અપૂર્વ-માહાત્મ્યથી અને મનોવાંચ્છિતના દાનથી; એમ બન્ને પ્રકારે વિદ્વાનોને હંમેશા પાંચ જાતના કલ્પવૃક્ષોની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠિઓ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ)ને આપો.
( આર્યાવૃત્તમ્)
श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ।
विवृणोमि स्वोपज्ञ --‘શ્રાદ્ધવિધિપ્રળ' વિશ્ચિત્ ॥૨॥
શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સદ્ગુરુઓને પ્રણમીને સ્વ-રચિત “શ્રાદ્ધવિધિ” પ્રકરણનું સ્વલ્પ વિવેચન કરું છું.
ટીકા કરવાનું પ્રયોજન
युगवरतपागणाधिपपूज्यश्रीसोमसुन्दरगुरूणाम् ।
वचनादधिगततत्त्वः सत्त्वहितार्थं प्रवर्त्तेऽहम् ॥ ३ ॥
યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સોમસુંદર ગુરુના વચનથી જાણ્યા છે તત્ત્વને એવો હું (તત્ત્વને જાણીને) ભવ્ય પ્રાણીના હિતને માટે (આ ગ્રંથની રચના માટે)નો પ્રયત્ન કરું છું.