________________
૨૨૧
શ્રાવકનું મધ્યાહ્ન કૃત્ય. શ્રાવકનું મધ્યાહ્ન કૃત્ય.
मज्झण्हे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति भुंजित्ता । पच्चक्खाइ अ गीअत्थअंतिए कुणइ सज्झायं ॥८॥ मध्याह्ने जिनपूजा-सुपात्रदानादि युक्त्या भुङ्कवा ।
प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम् ॥८॥ મધ્યાહ્ન પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વગેરે જેટલા પદાર્થ ભોજન માટે બનાવેલા હોય, તે સંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુક્તિનો અનુક્રમ ઉલ્લંઘન નહીં કરતાં પછી ભોજન કરવું. અહીં ભોજન કરવું એ અનુવાદ છે. મધ્યાહ્નની પૂજા અને ભોજનના કાળનો કંઈ નિયમ નથી. કેમકે ખરેખરી ક્ષુધા લાગે એ જ ભોજનનો કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાહ્ન થયા પહેલાં પણ જો પ્રત્યાખ્યાન પારીને દેવપૂજાપૂર્વક ભોજન કરે તો તેમાં કંઈ બાધ આવતો નથી.
આયુર્વેદમાં તો વળી આવી રીતે બતાવેલું છે કે પહેલાં પહોરમાં ભોજન કરવું નહીં, બે પહોર ઉલ્લંઘન કરવા નહીં (ત્રીજો પહોર થયા પહેલા ભોજન કરી લેવું) પહેલા પહોરમાં ભોજન કરે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ઉલ્લંઘન કરે તો બળની હાનિ થાય છે. સુપાત્રમાં દાન આદિ કરવાની રીત.
શ્રાવકે ભોજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પોતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પોતાની ઇચ્છાએ આવતા મુનિરાજને જોઈ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે અભાવિત છે? કાળ સુભિક્ષનો છે કે દુભિક્ષનો છે? આપવાની વસ્તુ સુલભ છે કે દુર્લભ છે ? તથા પાત્ર (મુનિરાજ) આચાર્ય છે અથવા ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃદ્ધ, રોગી, સમર્થ અથવા અસમર્થ છે? ઇત્યાદિ વિચાર મનમાં કરવો અને હરીફાઈ, મોટાઈ, અદેખાઈ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, “બીજા લોકો દાન આપે છે માટે મારે પણ તે પ્રમાણે કરવું જોઈએ” એવી ઇચ્છા, ઉપકારનો બદલો વાળવાની ઇચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાત્તાપ વગેરે દાનના દોષ તજવા.
પછી કેવળ પોતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી બેતાળીસ તથા બીજા દોષથી રહિત એવી પોતાની સંપૂર્ણ અન્ન પાન વસ્ત્ર આદિ વસ્તુ પ્રથમ ભોજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પોતે મુનિરાજને વિનયથી આપવી અથવા પોતે પોતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભા રહી પોતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું. આહારના બેતાળીશ દોષ પિંડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઈ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવું. | મુનિરાજનો યોગ ન હોય તો, “મેઘ વિનાની વૃષ્ટિ માફક જો કદાચ મુનિરાજ ક્યાંયથી પધારે તો હું કૃતાર્થ થાઉં એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જોવું. કેમકે