SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપલક દષ્ટિને એમ લાગી આવે છે, તે વાંચીને તરૂણ જમાનો અશ્રધાળુ બની જાય, અને જે ભરમપૂર્વક આગમનું માહામ્ય અત્યાર સુધી જળવાયું છે તે જળવાય નહીં. જેઓની ઉપલક દષ્ટિ નથી, પણ ઐતિહાસકિ અનુભવદષ્ટિ અને પૃથક્કરણ દષ્ટિ (An anlylical eye ) છે તેઓને કદાપિ પણ આમ ન લાગતાં, એમજ અનુભવ થાય કે, સિદ્ધાંત ( Principles ) અને ધર્મવાર્તાઓના મિશ્રણ પૂર્વક લખાએલા શાસ્ત્ર, ખીલવણી પામેલા મનના વિદ્વાનોની નજર આગળ મૂકવામાં આવતાં, તેઓ એ ચારે અનુયોગને જુદા પાડી પ્રત્યેકને સ્વતંત્ર આકારમાં મૂકી, પ્રત્યેક અનુગનું અદ્ભુત માહાત્મ્ય તેના ખરા સ્વરૂપમાં જગતને બતાવી શકશે. વેદમાન્ય શ્રીમદ્ભાગવતનો દાખલો લઈએ. શ્રીમદ્ભાગવતની અંદર શ્રીકૃષ્ણ મહારાજની લીલા વગેરેનો પ્રસંગ છે. એ પ્રસંગ એટલીબધી માનસિક ક૯૫નાઓ અને વિષયક કહ૫નાઓથી ભરપુર છે કે, ઘણા માણસોને અને તેમાં પણ નવા જમાનાના માણસને શ્રીકૃષ્ણને પ્રસંગ કલ્પિત લાગે છે. એટલું જ નહીં પણ તેમાંના કેટલાક એવા પ્રકારે માને છે કે, એ કથારચના નીતિનું ઘેરણ હલકું કરનારી છે. આ વાતને અનુભવ ઘણુઓને હોવાનો સંભવ છે. આવી સ્થિતિ છતાં શ્રીકૃષ્ણનું ખરું માહાત્મ્યઅર્થાત તે પુરૂષ થયા હતા અને તે એક ઉત્તમોત્તમ પુરૂષ હતા–કાઈ જાના વિચારના વિદ્વાન બતાવી શક્યા નહોતા. તેનું ખરું માહામ્ય બતાવનાર નવા જમાનાના અગ્રેસર વિદ્વાનેજ છે. બંગાળના મીસિંહ નામના એક સમર્થ વિદ્વાને શ્રીમદ્ ભાગવતને કેવા સ્વરૂપમાં સમજવા યોગ્ય છે અને શ્રીકૃષ્ણ એ કેવા પ્રકારે હતા તેનું જે સ્કુટન કર્યું છે તે એવું ઉત્તમ છે કે, બંગાળા કે જેની અંદર એક વખત શ્રીકૃષ્ણને એક કલ્પિત પાત્ર માનવામાં આવતું હતું તેને બદલે આજે ઐતિહાસિક પાત્ર તરીકે માની તેનું માહામ્ય ગાવામાં આવે છે. પ્રખ્યાત લેખક બાબુ બંકિમચંદ્ર શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર એવું ઐતિહાસિક દષ્ટિએ લખ્યું છે કે, આજે બંકિમચંદ્રની દૃષ્ટિએ જ શ્રીકૃષ્ણને એક અનુકરણીય ઉત્તમોત્તમ ઐતિહાસિક પુરૂષ માનવામાં આવે છે. આ રીતે કેળવાયેલા વિદ્વાનો પાસે વાર્તાના મિશ્રણ સાથે લખાએલ તરવજ્ઞાન મૂકાતાં તેમની અશ્રદ્ધા થઈ ભરમ ખુલ્લે થતાં માહામ્ય ઘટી જતું નથી. એથી ઉલટું એ વિદ્વાનો પિતાની સમર્થ શક્તિ વડે, પૃથકકરણ કરી વિચારો અને સિદ્ધાંત (Tenets and Principles) જુદા પાડી તેને સ્વતંત્ર સ્વરૂપમાં મૂકી, જગતને ખરું ભાન કરાવે છે. - બાબુ બંકિમચંદ્ર અને મી. સિંહના પ્રયત્નો જોઈને, જેઓ એવો ભય રાખે છે કે, આગમપ્રકાશનથી ભરમ ખુલો થશે તેને ખાત્રી થવી જોઈએ કે, જૈનાગમ વિદ્વાને પાસે મૂકાતાં અત્યારે જે શ્રદ્ધાપૂર્વક માહાભ્ય છે તેના કરતાં પરીક્ષાપૂર્વક માહામ્ય વધ્યા વિના નહીં રહે. પૃથ્વી ગોળ છે એવો અત્યારના ખગોળને સિદ્ધાંત સાબીત થઈ ચૂકેલે હેઇ, બીજા ધર્મોની ખગોળોની પેઠે, જિનાગમમાં દર્શાવેલ ખગોળાદિના સ્વરૂપો અસંભવિત માની, તરૂણ જમાને અશ્રદ્ધાળુ બનશે, એવી એવી બીજી કેટલીક દલીલો કરવામાં આવે છે. આના સંબંધમાં જણાવવાનું કે, વર્તમાન ખગોળવિદ્યા કરતાં પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યા બહુજ જુદી પડે છે. છતાં પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યાનો જે શાસ્ત્રીય અભ્યાસ વિશ્વવિદ્યાલય
SR No.032016
Book TitleJinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Original Sutra AuthorN/A
AuthorJinagam Prakashak Sabha
PublisherJinagam Prakashak Sabha
Publication Year1913
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy