________________
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય
૨૧૩
દાદાશ્રી : ના, એ જ્ઞાન કબાટને ના જાણે. એ તો ઈન્દ્રિય જ્ઞાન જાણે છે અને આ ઈન્દ્રિય જ્ઞાને શું જાણ્યું તે પોતે જાણે.
પ્રશ્નકર્તા: હા, ઈન્દ્રિય જ્ઞાને શું જાણ્યું તે પોતાનો આત્મા જાણે
દાદાશ્રી : તે આત્મા જાણે છે. આ ઈન્દ્રિય જ્ઞાને શું જાણ્યું તે પોતે જાણે, પણ આ બધું જાણે તે ઈન્દ્રિય જ્ઞાન. કારણ કે આ ઈન્દ્રિયો છે ને તેના આધારે આ દેખાય છે, આત્મા તેવો નહીં.
પ્રશ્નકર્તા: એનું જ્ઞાન, પોતાના જ્ઞાનથી એ જ્ઞાનને જાણે છે ? દાદાશ્રી : સીધું ના દેખાય પોતાના જ્ઞાનથી.
અને આ જે દેખાય છે ને, એ તો બધું ઈન્દ્રિય જ્ઞાન છે. એ તો બહારના લોકો, અજ્ઞાનીનેય છે. અજ્ઞાનીને ને જ્ઞાનીને ઈન્દ્રિય જ્ઞાનમાં ફેર નથી. અતીન્દ્રિય જ્ઞાનમાં ફેર છે બન્નેને. અતીન્દ્રિય જ્ઞાનમાં જે આંખે દેખાતી નથી એવી વસ્તુને જોઈ શકે છે.
મનના પર્યાયો જે જગતના લોકો જોઈ શકતા નથી, તેને આ અતીન્દ્રિય જ્ઞાન જાણે છે. મનના પર્યાય જે છે, બુદ્ધિના પર્યાય એને જે જોઈ શકતા નથી જગતના લોકો, ઈન્દ્રિય જ્ઞાનથી, તેને આ આત્મા જાણે છે. એ દેહમાં તમામ પ્રકારના પર્યાયને આત્મા જાણે છે. જાણવાનો સ્વભાવ જ છે નિરંતર.
પ્રશ્નકર્તા: એટલે જાણે, એટલે કે સહજ છે એ વસ્તુ. હવે ઈન્દ્રિય જ્ઞાનને પણ આ શુદ્ધ આત્માનું જ્ઞાન જાણે.
દાદાશ્રી આત્મા ઈન્દ્રિય જ્ઞાનને આ કોનું જ્ઞાન છે, એ પોતે જાણે કે આ ઈન્દ્રિયોનું જ્ઞાન છે.
પ્રશ્નકર્તા : એ પણ આત્મા જાણ્યા કરે ?
દાદાશ્રી : એ પણ આત્મા જાણે.