________________
૨૧)
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા એ બરાબર છે. આપે કહ્યું કે બહુ ગૂંચવાડો હોય જ્યારે ઈન્દ્રિય જ્ઞાનથી જુએ છે, તો એનો દાખલો આપો. અતીન્દ્રિય જ્ઞાનથી તો આપે કહ્યું જોવાનું, પણ ઈન્દ્રિય જ્ઞાનથી આપણે જાણીએ છીએ ક્યારે ?
દાદાશ્રી : એટલે આ બધું કાનથી સાંભળીએ, આંખથી જોઈએ, જીભથી ચાખીએ, એ બધું ઈન્દ્રિય જ્ઞાન છે. મનથી, એ મનને ઈન્દ્રિય ગણાય છે. એને છઠ્ઠી ઈન્દ્રિય ગણાય છે. પછી બુદ્ધિથી, બુદ્ધિ એય તેનું તે જ. બુદ્ધિથી જાણે એટલું બધુંય અજ્ઞાન. એ બધું શેયમાં જાય. હવે બુદ્ધિને અજ્ઞા કહે છે. અને આ શુદ્ધાત્મા એ પ્રજ્ઞાથી જાણે. અજ્ઞાએ જે કરેલું એ પ્રજ્ઞા જાણે, એનું નામ છેલ્લું જ્ઞાન. કંઈ કર્યા વગર તો રહે જ નહીં. મહીં ને મહીં ચંચળતા હોય જ. એને જાણે કે આ ખાતી વખતે આપણે ખોટી જક પકડી છે ઘરમાં, એવું તમે જાણોને એટલે તમે છૂટા. જક પકડેલી એટલે માર ખાય. જક પકડેલી તડછું કરીને ઊઠી ગયા ને ભૂખ પોતાને ને એ પોતાને ઉપાધિ !
અડચણ અત્યારે ત્યાં “મારું નહોય' કહેવું પ્રશ્નકર્તા: પણ એનો અર્થ એવો કે જ્યારે કામમાં વધારે વ્યસ્ત થઈ જાય વ્યવહારમાં, એ વખતે જે પેલું કહીએ ને કે બસ જતી હોય તે આ બસ જોઈ એટલે પેલું, પેલી તરફથી આ તરફ જતું રહ્યું, તો તે વખતે પણ એવું અતીન્દ્રિયથી જોવાનું કામ ચાલે કે ના ચાલે ?
દાદાશ્રી : શી રીતે જોવાય પણ વચ્ચે અડચણ આવી ગઈ હોયને?
પ્રશ્નકર્તા: એ તો આ દેહ રહે ત્યાં સુધી આવું તો બધું ચાલ્યા જ કરવાનું.
દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. પ્રશ્નકર્તા: ના, પણ વ્યવહાર તો રહેવાનો ને બધો, ક્યાં જવાનો? દાદાશ્રી : ના, એવું નહીં, એ તો ઓછું થતું જાયને દહાડે દહાડે !