________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
“આ દેહે ગમે એટલા કાર્ય થાય તારાથી, સારા થાય કે ખોટા થાય, તું તો શુદ્ધ જ છું', કહે છે. ત્યારે એ કહે, “હે ભગવાન ! હું શુદ્ધ છું ? આ દેહે થાય છે તે ?” ત્યારે કહે, “એ તારા હોય કાંઈ. તું તો શુદ્ધ જ છું. તને ના અડે હવે. તું તારી મેળે જો. તને જો શંકા પડશે તો તારું અને તું નિઃશંક છું તો તારું નહીં, દાદાની આજ્ઞામાં રહ્યો કે તારું નહીં.”
મૂળ હકીકતમાં શંકા પાડવા જેવી છે જ નહીં. ખરેખર તું પોતે કશું કરતો જ નથી. આવી “તું” કોઈ ક્રિયા કરતો જ નથી. આ તો ખાલી ભ્રાંતિ જ છે, આંટી પડી ગયેલી છે. પરિણામ ઊંચા-નીચા થાય ત્યાં સુધી બોલવું, “શુદ્ધાત્મા છું'
પ્રશ્નકર્તા: ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું” એમ વધારે બોલીએ તો વાંધો
છે ?
દાદાશ્રી : કશો વાંધો નહીં. પણ શબ્દરૂપે બોલવાનો અર્થ નહીં, સમજીને બોલવું સારું. જ્યાં સુધી અશુદ્ધ બાબત આવે ને તે વખતે મહીં પરિણામ ઊંચા-નીચા થઈ જાય ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું' બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું” એમ બોલાય. ગુણોની ભજના કરે, તો સ્થિરતા રહે ! “આ મારું સ્વરૂપ છે અને આ હોય, આ જે થાય છે એ મારું સ્વરૂપ હોય એવું બોલો તોય ઊંચા-નીચા પરિણામ બંધ થઈ જાય, પોતાને અસર ના કરે. આત્મા શું છે એ એના ગુણ સહિત બોલવું, જોવું, ત્યારે એ પ્રકાશમાન થાય.
નિર્વિકલ્પ જ્ઞાન છે આ. એટલે કેવળજ્ઞાન સ્વરૂપ છું એવું બોલવામાં વાંધો નથી. એવું દહાડામાં પાંચ-દસ વખત બોલવું અને પોતાને કેવળજ્ઞાન સ્વરૂપથી જોવું ઘણી વખત.
પ્રશ્નકર્તા ઃ એ કેવી રીતે જોવું ?
દાદાશ્રી: એ કેવળજ્ઞાન સ્વરૂપ કેવું દેખાય ? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ ખાલી દેખાય, બીજું કશું દેખાય નહીં, કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ ધીમે ધીમે અભ્યાસ કરતા