________________ (7.2) વિશેષ સમજણ, કેવળી-સર્વજ્ઞ-તીર્થકર ભગવાનની સમ્યક્ દર્શન - આત્મજ્ઞાન - કેવળજ્ઞાત પ્રશ્નકર્તા: સમ્યક્ દર્શનને કેવળજ્ઞાન કહેવાય ? દાદાશ્રી: ના, સમ્યક્ દર્શન કેવળજ્ઞાનનું બિગિનિંગ (શરૂઆત) છે. બિગિનિંગ પાર્ટ એને કહેલો છે અને એન્ડ પાર્ટને કેવળજ્ઞાન કહ્યું. આ છેડાને સમ્યક્ દર્શન કહેવાય અને પેલા છેડાને કેવળજ્ઞાન કહેવાય છે. તેની વચ્ચે આત્મજ્ઞાન હોય. સમ્યક્ દર્શન સુધી આત્મજ્ઞાન ના થયું હોય. સમ્યક્ દર્શન એટલે આ બધું સત્ય નથી પણ સત્ય આ અવિનાશી આત્મા જ છે. પણ એ આત્માની બાઉન્ડરિ (સીમા) જાણી શક્યો નથી. તે જ્યારે પૂરેપૂરી બાઉન્ડરિ જાણે તો આત્મજ્ઞાન કહેવાય. આ તો એને શ્રદ્ધા બેઠી આત્મા ઉપર કે હું ચેતન છું, આ નહીં. હોય આવરણ આત્મજ્ઞાતમાં, તા કોઈ કેવળજ્ઞાતમાં પ્રશ્નકર્તા: આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન એમાં ફેર શું? દાદાશ્રી : કેવળજ્ઞાનમાં કોઈ આવરણ ના આવે અને આત્મજ્ઞાનમાં આવરણ આવે. આત્મા એકલો જ જાણવો ને બીજા તત્ત્વો પરફેક્ટ (સંપૂર્ણ) ના જણાય એ આત્મજ્ઞાન કહેવાય ને બીજા બધાં જ તત્ત્વો પરફેક્ટ જણાય તેને કેવળજ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઝાઝો ફેર નથી, બન્ને વચ્ચે