________________
છે ?
પછી ‘My ઈગોઈઝમ' બોલે છે કે ‘I એમ ઈગોઈઝમ' બોલે
પ્રશ્નકર્તા : My ઈગોઈઝમ.
દાદાશ્રી : ‘My ઈગોઈઝમ' બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ.
પણ એક-એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો I ને My એ બે જુદું થઈ શકે ખરું ને ? I ને My બે જુદાં પાડતાં છેવટે શું રહે ? Myને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું ?
પ્રશ્નકર્તા : I.
દાદાશ્રી : તે I એ જ તમે છો ! બસ, તે I ને રીયલાઈઝ કરવાનું છે.
ત્યાં અમારી (જ્ઞાનીની) જરૂર પડે. હું એ બધું જ તમને છુટું પાડી આપું. પછી તમને ‘હું શુદ્ધાત્મા છું' એવો અનુભવ થયા કરે. અનુભવ થવો જોઇએ. અને જોડે જોડે દિવ્યચક્ષુ પણ આપું છું એટલે આત્મવત્ સર્વ ભૂતેષુ (બધામાં જ આત્મા) દેખાય.
૪. ‘હું’ની ઓળખાણ કેવી રીતે ? જપ-તપ, વ્રત તે નિયમ
પ્રશ્નકર્તા : વ્રત, તપ, નિયમ એ જરૂરી છે કે નહીં ?
દાદાશ્રી : એવું છે, આ ‘કેમિસ્ટ’ને ત્યાં જેટલી દવાઓ છે એ બધી
જરૂરી છે પણ તે લોકોને જરૂરી છે, તમારે તો જે દવાની જરૂર છે એટલી
૬