________________
સનાતન સુખ તરફ લઈ જાય છે. એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મવિજ્ઞાન કહેવાય અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ કરે, એ આ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે અને ‘આ' અક્રમ વિજ્ઞાન સનાતન છે અને સનાતન કરનારું છે !
3. I & Mv are separate ‘જ્ઞાતી' જ મૌલિક ફોડ આપે
'I' એ ભગવાન અને 'My' એ માયા. ‘My' is Relative to ‘I’. ‘I' is Real, આત્માનાં ગુણોનું આ 'I' માં આરોપણ કરો તોય ‘તમારી’ શક્તિઓ બહુ વધી જાય. મૂળ આત્મા એકદમ ‘જ્ઞાની’ સિવાય ના જડે, પણ આ 'I' and ‘My’ તદ્દન જુદાં જ છે. એવું બધાંને, ફોરેનના લોકોને પણ જો સમજાય તો તેમની ઉપાધિઓ ઘણી ઓછી થઇ જાય. આ સાયન્સ છે. અક્રમ વિજ્ઞાનની આ આધ્યાત્મિક રિસર્ચની તદ્દન નવી જ રીત છે. 'I' એ સ્વાયત્ત ભાવ છે અને 'My' એ માલિકી ભાવ છે. સેપરેટ I એન્ડ My
તમને કહ્યું હોય કે સેપરેટ I એન્ડ My વિથ સેપરેટર, તો તમે I અને My સેપરેટ કરી લાવો ખરાં ? I એન્ડ My સેપરેટ કરવા જેવું ખરું કે નહીં ? જગતમાં કદી જાણવું તો પડશે ને ! સેપરેટ I એન્ડ My. જેમ દૂધનું સેપરેટર હોય છે ને, તેમાંથી મલાઈને જુદી પાડે છે ને ? એવું આ જુદું પાડવાનું.
તમારે My જેવી કશું વસ્તુ છે ? I એકલા છો કે My સાથે છે ? પ્રશ્નકર્તા : My સાથે હોય ને !
દાદાશ્રી : શું શું My છે તમારે ?
પ્રશ્નકર્તા : મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ.
૪