________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન બીજો પ્રશસ્ત છે. કુલયોગીને અપ્રશસ્ત દ્વેષો ન હોય. પરંતુ પ્રશસ્ત ષો તો હોય જ છે. - સ્વપક્ષના આંધળા આગ્રહથી ગર્ભિત બીજા પ્રત્યેનો દ્વેષ, એ અપ્રશસ્ત છે. સ્વદોષના આગ્રહથી ગર્ભિત દ્વેષ એ અપ્રશસ્ત છે. સ્વમતના આંધળા આગ્રહથી પેદા થયેલો દ્વેષ, એ અપ્રશસ્ત છે. આવા અપ્રશસ્ત દ્વેષો કુલયોગીને ન હોય. તદુપરાંત, કુલયોગી દુન્યવી સામગ્રી અને ભૌતિક સત્તા આદિના અધિકારો માટે પણ આગ્રહ સેવતો નથી. તેથી તેને ક્યાંયે દ્વેષ થતો નથી. આમ છતાં કુલયોગીને પૂર્વનિર્દિષ્ટ દેવાદિ પાંચ ઉપરના પ્રશસ્ત રાગના કારણે તે પાંચનો નાશ કરનારા ઉપર પ્રશસ્ત ષ તો અવશ્ય થાય જ છે. કુલયોગીપણું ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનકથી છઠા ગુણસ્થાનક સુધી હોય છે તે યાદ રાખવું. પ્રશ્ન : શ્રી સુયગડાંગ સૂત્ર, અધ્યયન-૧, ગાથા નં.૩ ની ટીકામાં ‘ગાયતુષે પથાણું' - પ્રજાને (છકાયના જીવોને) સ્વ = આત્મતુલ્ય જુએ, એવું કહ્યું છે, તેનું રહસ્ય શું છે ? અને પ્રશસ્ત દ્વેષની સાથે એ દર્શન જીવંત રહી શકે ખરું ? તથા આત્મતુલ્ય દર્શન અને મૈત્રીભાવના વચ્ચે કોઈ સંબંધ ખરો કે નહીં ? ઉત્તર : ભાવસાધુ સર્વ જીવોને આત્મતુલ્ય જુએ છે. કારણ કે, ભાવસાધુને જીવોની વર્તમાનની વિષમ દશા-વિસંવાદી દશાથી ઉપર ઉઠીને સત્તાની અપેક્ષાએ તેમના આત્મામાં રહેલા અનંતગુણો-શુદ્ધસ્વરૂપને નિહાળવાની દૃષ્ટિ પ્રાપ્ત થયેલી હોય છે. અર્થાત્ જગતના જીવો વર્તમાનમાં ભલે દોષબહુલ હોય અને કુચેષ્ટામાં પડ્યા હોય. પરંતુ તેમના આત્મામાં અનંતગુણ રહેલા જ છે. આજે કર્મથી તે આવરાયેલા હોવાથી દેખાતા 1. एवंविधो भावसाधुः सर्वजीवेषु आत्मतुलां कलयति / (सूयगडांग सूत्र अ.१, નાથા-૩ ટhi)