________________ 46 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ત્યારે 10 શ્રાવકો (કલ્યાણમિત્રો) રોજ ચેતવતા કે - હે રાજન્ ! તમે વિષયકષાયથી જીતાઈ ગયા છો. આથી ભય વધે છે, તેથી હિંસા ન કરો.” [ગીતો મવાનું ! વર્થતે બીઃ | મહિન્ મહિન ] - કલ્યાણમિત્ર સદ્ગુરુનો સમાગમ કરાવે છે. સદ્ગુરુ પાસેથી જિનવચન સાંભળવા મળે છે. જિનવચનથી આત્માનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, કર્મબંધના કારણો, સંસારનું સ્વરૂપ, કર્મથી મુક્ત થવાના ઉપાયો વગેરે સમજવા મળે છે. તેનાથી આત્મામાં મોક્ષમાર્ગના બીજનું આધાન થાય છે. પ્રશ્નઃ આપણને જે વ્યક્તિનો ભેટો થયો છે, તે કલ્યાણમિત્ર છે કે અકલ્યાણમિત્ર છે, તે કેવી રીતે ઓળખવાનું? ઉત્તર : જે વ્યક્તિ અનાદિકાલીન (આત્મામાં ધરબાઈને પડેલી) કુવાસનાઓને ભડકાવે છે તે અકલ્યાણમિત્ર છે. - જે વ્યક્તિ પાપપ્રવૃત્તિઓમાં ખેંચી જાય, તે અકલ્યાણમિત્ર છે. - જે વ્યક્તિ ઉન્માર્ગને સન્માર્ગ તરીકે બતાવે અને અધર્મને ધર્મ તરીકે બતાવે, તે પણ અકલ્યાણમિત્ર જ છે. - જે વ્યક્તિના સંગથી જીવનમાં પાપો, કુટેવો, વ્યસનો પ્રવેશ કરે, તે અકલ્યાણમિત્ર છે. - જે વ્યક્તિ આપણને માત્ર સંસારમાર્ગ ઉપર જ સફળ કેવી રીતે બનાય, તેની પ્રેરણા આપતો હોય, તે પણ અકલ્યાણમિત્ર જ છે. - દ્વેષ-વૈરનો વારસો આપનારા પણ અકલ્યાણમિત્ર જ છે. - ટૂંકમાં, જેના દ્વારા આત્માનું સંસાર પરિભ્રમણ વધે, તે વ્યક્તિ અકલ્યાણમિત્ર કહેવાય. છે જે વ્યક્તિ... અનાદિકાલીન કુવાસનાઓ મારી હટાવવા સહાયક-પ્રેરક બનતી હોય. પાપપ્રવૃત્તિઓથી દૂર રાખતી હોય... સન્માર્ગ જ ચીંધતી હોય... ભગવાને બતાવેલા ધર્મને જ બતાવતી હોય... કુટેવ