________________ પ્રકરણ-૧ : ભાવના ઉત્તમ રસાયણ છે દરેક આત્માર્થી જીવોએ જેમ અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવાની છે, તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ પણ ભાવવાની છે. મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાનું પ્રયોજન જણાવતાં શ્રી “શાંતસુધારસ' ગ્રંથમાં કહ્યું છે કે, “સદ્ધર્મધ્યાનસંધ્યાન-દેતવઃ શનિને. . मैत्रीप्रभृतयः प्रोक्ता-श्चतस्रो भावनाः पराः // 1 // मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् / થર્મધ્યાનમુર્તિ તદ્ધિ તસ્ય રસાયનમ્ રા” - સદ્ધર્મધ્યાનનું અનુસંધાન કરવામાં કારણભૂત મૈત્રી આદિ ચાર શ્રેષ્ઠ ભાવનાઓ શ્રીજિનેશ્વર પરમાત્માઓએ કહી છે. - મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યશ્ય : આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનના સંધાન માટે હંમેશાં યોજવી (સેવવી) જોઈએ. કારણ કે, ભાવનાઓ જ તેનું (ધર્મધ્યાનનું) સાચું રસાયણ (મહા ઔષધ) છે. આથી ધર્મધ્યાનને પામવા માટે અને ધર્મધ્યાનની ધારાને અખંડિત રાખવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવી આવશ્યક છે. જેનું અંતઃકરણ મૈત્રી વગેરે ભાવનાઓથી વાસિત હોય, તેને આર્તધ્યાનનો સ્પર્શ થતો નથી અને તેની ધર્મધ્યાનની ધારા પણ અખંડિત રહે છે - અખ્ખલિતપણે વહ્યા કરે છે. 3 મૈત્રી આદિ ભાવનાથી ચિત્તશુદ્ધિ : સંસારના પોદ્ગલિક પદાર્થો પ્રત્યે વૈરાગ્યભાવ-નિર્મમત્વભાવ પેદા કરવા અને સ્થિર બનાવવા માટે અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવાની છે. જગતના જીવો પ્રત્યે કેવો અભિગમ રાખવામાં આવે તો ચિત્તશુદ્ધિ