________________ પરિશિષ્ટ 109 प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमोदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करूणा, सदानन्ददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षा इति - - શ્રી ૩પતિ ભવપ્રપંચ કથા-પૃ.૧૬-૧૭ સાધુપુરુષોનું અંતરંગ અંતઃપુર અત્યંત અનુરક્ત હોય છે. તેમને શ્રુતિ સુંદરી સંતોષ આપે છે. શ્રદ્ધા ચિત્તની પ્રસન્નતા આપે છે. સુખાસિકા આલ્હાદ આપે છે. વિવિદિષા નિર્વાણનું (શાંતિનું) કારણ બને છે. જ્ઞપ્તિ (જ્ઞાન)એ પ્રમોદ આપે છે. બુદ્ધિ બોધ કરાવે છે અને અનુપ્રેક્ષા અત્યંત આનંદને ઉત્પન્ન કરે છે. મૈત્રી અનુકૂળ ચાલે છે. કરુણા સ્વાર્થ વિના વાત્સલ્યવંત રહે છે. મુદિતા સદા આનંદને આપનારી બને છે અને ઉપેક્ષા સર્વ ઉદ્વેગનો નાશ કરે છે. (37) તા સત્તનુવં, ગળુપાણvi થi ___ अणुचिट्ठियव्वमेयं, इत्तोच्चिय सेसगुणसिद्धि // दानविंशिका-गाथा-२०॥ ભવ્ય જીવે શક્તિ અનુસાર અનુકંપા સહિત દાનધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી જ શેષગુણોની પ્રાપ્તિ થાય છે. (38) विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतो भजसि मानसमैत्रीम् / तत्सुखं परममत्रपरत्राप्यनुषे न यदभूत्तव जातु // 5 // જો ક્ષણવાર પણ વિશ્વના જંતુઓ પ્રત્યે સમતાથી મૈત્રીભાવનું સેવન થાય, તો ભવચક્રમાં કદી પણ પ્રાપ્ત ન થયું હોય, તેવા પરમસુખનો અનુભવ થાય છે. भजस्व मैत्री जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः / भवार्त्तिदीनेषु कृपारसं सदाऽप्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि // 10 // હે જીવ! જગતના પ્રાણીમાત્રમાં મૈત્રીને ભજ, ગુણવાળા દરેક જીવોમાં પ્રમોદને ધારણ કર, ભવના દુઃખથી દીન (જીવ)માં સદા કરુણારસને અને નિર્ગુણમાં ઉદાસવૃત્તિને ધારણ કર. मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः / कृपा भवार्ते पतिकर्तुमीहो-पेक्षा च माध्यस्थ्यमवार्यदोषे // 11 // - શ્રી અધ્યાત્મન્યુમો . 9-20-22 મૈત્યાદિનું સ્વરૂપ આ પ્રમાણે છે - બીજા જીવના હિતનો વિચાર તે મૈત્રી, ગુણપક્ષપાત તે પ્રમોદ, સંસારમાં દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે કરુણા અને જેના દોષ દૂર થઈ શકે તેમ નથી તેવા જીવોની ઉપેક્ષા તે માધ્યશ્ય.