________________ પ્રકરણ-૪ઃ કરણાભાવના “કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે, દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ સૂલ રે ? સ્વામી.”(૫) - ઉન્માર્ગની દેશના આપતા કુગુરુઓએ સન્માર્ગને જે હાનિ પહોંચાડી છે, તે બતાવતાં આગળ જણાવ્યું છે કે, અર્થની દેશના જે દિયે, ઓળવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર છે, તેથી કિમ વડે પંથે રે ? સ્વામી (6)" - કુગુરુઓએ જ્ઞાનમાર્ગને બાજુમાં મૂકીને જે ધૂમધામે ધમાધમ ચલાવી છે, તે વર્ણવતાં આગળ જણાવ્યું છે કે, વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુમદપુર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. સ્વામી (7)" - કુગુરુઓ કદાગ્રહને વશ બની જિનવચનથી વિપરીત દેશના આપી ઉન્માર્ગનું પ્રવર્તન કરી રહ્યા છે, તે વાતનું પ્રતિપાદન કરતાં આગળ જણાવ્યું છે કે, કલાહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે, જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલરે. સ્વામી (8)" - કગુરૂઓ પોતાના દોષોને ઢાંકવા ધર્મની દેશનાને પલટાવી નાખી કુમાર્ગનું સ્થાપન કઈ રીતે કરે છે, તે દર્શાવતાં જણાવ્યું છે કે, કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ મતકંદ રે, ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહીં મંદ રે. સ્વામી (9)" - પૂ. મહોપાધ્યાયશ્રીજીએ અવિવેકી કુગુરુઓનો ત્યાગ કરવાનું ભારપૂર્વક જણાવવા માટે આગળ કહ્યું છે કે, “જાતિ અંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ, મિથ્યાષ્ટિ તેહથી આકરો, માને અર્થ અનર્થ. શ્રી (14) આપ પ્રશંસે રે પરગુણ ઓળવે, ન ધરે ગુણનો રે લેશ, તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિયે મિથ્યા ઉપદેશ. (15)"