SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન હું સર્વસંગનો ત્યાગી છું, નિજના દેહમાં પણ નિઃસ્પૃહ છું, રાગ-દ્વેષથી વિમુક્ત છું અને સમતાના શીતળ જળમાં મગ્નતા અનુભવું “તો પણ ચૈત્યને બચાવવા માટે તથા પ્રાણીઓની રક્ષા કાજે રાગ-દ્વેષ વિના જ આને કંઈક શિક્ષા કરું !" આટલી વિચારણા બાદ વાલી મુનિએ રાવણને યોગ્ય શિક્ષા કરી અને તે શિક્ષાના પ્રતાપે સમ્યબોધને પામેલા રાવણે પણ વાલી મુનિ પાસે ક્ષમાપના યાચી. અને પોતાના દુષ્કતનો પશ્ચાતાપ કર્યો. વધુમાં આ પ્રકારના દુષ્કતથી બચાવી લેવા બદલ તેઓ પ્રત્યે પોતાનો નમ્રભક્તિ ભાવ પણ વ્યક્ત કર્યો અને તે પ્રસંગમાં સાક્ષી રહેલા દેવતાઓએ પણ અત્યંત ખુશ થઈને વાલી મુનિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. - શાંતસુધારસ ગ્રંથમાં જીવોના દુઃખોનું વર્ણન કરતાં કહ્યું છે કે. પ્રથમ તો જીવો ખાવા-પીવાની સગવડોને પ્રાપ્ત કરવાની વાંછાથી સતત વ્યાકુળ હોય છે. તે પછી વસ્ત્ર, ઘર અને અલંકાર આદિમાં વ્યગ્ર ચિત્તવાળા હોય છે.. ત્યારપછી વિવાહ કરવાના અને પુત્ર-પુત્રી વગેરેને પ્રાપ્ત કરવાની અભિલાષામાં વ્યગ્ર ચિત્તવાળા હોય છે. ઈન્દ્રિયોને અનુકૂળ વિષયોની સદા અભિલાષાવાળા હોય છે. આથી તે જીવો બિચારા સ્વસ્થતા કેવી રીતે પામી શકે ? - તદુપરાંત, લાખો ઉપાયો દ્વારા મહાકષ્ટથી (ધન) લક્ષ્મી મેળવે છે અને તે કાયમ રહેવાની છે એવી કલ્પનામાં રાચતા હોય છે અને પૂર્વભવના અભ્યાસને કારણે એમાં મુંઝાયા કરે છે. એટલામાં તો 1. માં 2 ચસો , સ્વારીરેડપિ નિ:સ્પૃહઃ राग-द्वेषविनिर्मुक्तो, निमग्नः साम्यवारिणि // 251 // 2. તથાપિ ચૈત્યત્રા, પ્રળિનાં રક્ષTય ચ | राग-द्वेषौ विनैवैनं, शिक्षयामि मनागहम् // 252 // - ત્રિષષ્ટિશનવાપુરુષત્રિ પર્વ-૭, સર્જ-૨ |
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy