SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાદકીય.... ચિત્તની શુદ્ધિ અને આધ્યાત્મિક ભાવોને પામવા માટે તથા ધર્મધ્યાનની ધારાને અખંડિત રાખવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાની અતિ અતિ અનિવાર્યતા છે એ નિર્વિવાદ હકીકત છે. જેણે પણ પોતાની મોક્ષસાધના વિશુદ્ધ રાખવી છે અને એના ફલસ્વરૂપે વિપુલ કર્મનિર્જરા સાધીને મોક્ષસુખને = શાશ્વત સુખને પામવું છે તથા વર્તમાન જીવનમાં સઘળાયે લેશોથી દૂર રહેવું છે, તેણે સમ્યક્ત સહિત પ્રજ્ઞા, મૈત્રી, પ્રમોદ, સમતા, કરૂણા અને ક્ષમા આદિ ગુણોને સેવવા-વિકસાવવા અતિ આવશ્યક છે, આવું “તત્ત્વામૃત” ગ્રંથમાં ફરમાવ્યું છે. સમ્યત્વે સહિત જ કોઈપણ ગુણ તારક બને છે, એવું જ્ઞાનીઓ ભારપૂર્વક ફરમાવે છે. સમ્યત્વની ગેરહાજરીમાં આ જીવે પ્રાયઃ અનંતીવાર ધર્મક્રિયાઓ કરી છે અને સમાદિ ગુણોનું સેવન કર્યું છે. છતાં પણ મુક્તિ થઈ નથી. કારણ કે આત્મામાં ધામા નાખીને બેઠેલું મિથ્યાત્વ, તેના કારણે પેદા થયેલી રાગ-દ્વેષની તીવ્ર પરિણતિઓ અને તેના પ્રભાવે ઉજાગર થયેલા તમામ પ્રકારના અસદ્ગોએ (અધર્મ-દોષ-સંસાર-ઉન્માર્ગ આદિના પક્ષપાતે) એ ધર્મક્રિયાઓને-ગુણોને તાત્ત્વિક બનવા દીધા નહોતા અને તાત્ત્વિક ક્રિયાગુણ વિના દોષ-પાપકર્મનું ઉન્મેલન થઈ શકતું નથી અને તે વિના આત્મા પોતાના સહજસ્વરૂપમાં પાછો ફરી શકતો નથી. આથી બધા જ ગુણોને સમ્યત્ત્વના સંશ્લેષથી તાત્વિક બનાવવા અતિ જરૂરી છે. સમ્યક્ત પામવું આમેય અતિદુર્લભ છે અને વર્તમાન વિષમકાળમાં તો વિશેષથી દુર્લભ બનતું જાય છે. આવી પરિસ્થિતિમાં અમૂલ્ય માનવભવ એના વિના એળે ન જાય તે માટે સમ્યગ્દર્શનને રોકનાર અને મિથ્યાત્વને પીઠબળ આપનારા અસદ્ગહ = ખોટા આગ્રહો = કદાગ્રહોનો ત્યાગ કરવો એટલો જ જરૂરી છે અને અસગ્રહનો નાશ કરવાનું શ્રેષ્ઠ સાધન જિનવચનો = શાસ્ત્રવચનો છે. શાસ્ત્રવચનોને યથાર્થ રીતે જાણીને તેના પરિશીલન દ્વારા 1. प्रज्ञा मुदा च मैत्री च, समता करूणा क्षमा / सम्यक्त्वसहिता सेव्याः, सिद्धिसौध-सुखप्रदाः // 27 //
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy