________________
આવિષ્કારિત કરવામાં કેવલજ્ઞાની પુરુષની જ્ઞાનશક્તિ કેટલી જમ્બર છે ? તે જૈનદર્શનમાં પ્રરૂપિત દ્રવ્યાનુયોગના વિષયની અભ્યાસ કરવાથી આપણને સમજાય છે. . કેવળજ્ઞાન સ્વરૂપ જ્ઞાનશક્તિના અભાવે જીવમાં વર્તતી અન્ય અન્ય પ્રકારની જ્ઞાનશક્તિ, તે કર્મ રજકણોની ન્યૂનાધિક પ્રમાણમાં પણ સંબંધ રાખવાવાળી છે. તેમાં જેટલે જેટલે તે રજકણેને સંબંધ તેટલું તેટલું જ્ઞાનશક્તિઓનું આચ્છાદન હોય છે. નંદિસૂત્રમાં વિવિધ પ્રકારે વર્તતા જ્ઞાનનું સુંદર વર્ણન કરેલ છે. ( પિગૅલિક આવિષ્કાર કરનાર વિવિધ વૈજ્ઞાનિકની જ્ઞાનશક્તિ, કર્મ રજકણેના સંબંધવાળી હોવાથી ઘણી જ અધુરી છે. આધુનિક વૈજ્ઞાનિકે એ ગમે તેટલા પ્રકારે અણુશક્તિના આવિષ્કારે ભલે કર્યા, પરંતુ તે આવિષ્કારે અધુરા અને કેઈપણ પ્રકારના બાહ્યસાધનોની અપેક્ષાવાળા છે. જ્યારે સર્વજ્ઞ-કેવલજ્ઞાની પુરુષ દ્વારા આવિષ્કાસ્તિ, પદાર્થ આવિષ્કારે કેઈપણ પ્રકારના બાહ્યસાધનની અપેક્ષા વિનાના
અને સંપૂર્ણ છે.
આ રીતે આત્માને મુખ્ય સ્વભાવ જ્ઞાન છે, તે સમજાય ત્યારે જ જ્ઞાનની અધિક્તા-ન્યૂનતા અને અને પરિ પૂર્ણતા સમજાય. વળી જ્ઞાનમાં તરતમાતા-ઓછાવત્તાપણું સમજાતાં તેના કારણરૂપે જ્ઞાનાવરણીય કર્મ પણ સમજાય
આ જ્ઞાન ઉપરાંત આત્માને બીજો ગુણ (સ્વભાવ)