SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. પણુ, સાત્વિક કાર્યો વડે સહજ સિદ્ધ થાય છે. સહજ શીતળ સ્વભાવવાળા માણસે સર્વ કેઈને અભિગમ્ય થાય છે. તેવી ઠી પ્રકૃતિ પ્રાયઃ સર્વ કેઈને પ્રિય હોવાથી તે સર્વના વિશ્વાસપાત્ર થઈ પડે છે. ૪ જનપ્રિય-લોકપ્રિય ગુણ સર્વ કેઈને વલ્લભ થવાય એવાં સત્કાર્ય-સુકૃત કરવાથી અને આલાક પલક વિરૂદ્ધ દુષ્કૃત તજવાથી પ્રાપ્ત થઈ શકે છે. આ ગુણથી માણસ ધારે એવાં મોટાં કાર્ય કરી શકે છે. ૫. અક્રૂરતામસી પ્રકૃતિ તજીને ક્ષમા, નમ્રતા તથા અનુકંપાદિક ગુણને અભ્યાસ કરવાથી કુરતા-કઠેરતા દેષ દૂર થાય છે. અને હદયમાં, વચનમાં. અને કૃતિમાં સહજ કમળતા પ્રગટ થાય છે. ૬ ભીરૂ-ધમી માણસની સંગતિથી અથવા ધર્મશાસ્ત્રનું શ્રવણ મનન કરવાથી યા તે પૂર્વના શુભ સંસ્કારથી જીવને સવભાવિક રીતે પાપને યા પરભવને ડર લાગે છે. કંઈ પણ અનીતિ કે અન્યાય કરતાં મન ઝટ દઈને સંકેચાય છે, અને પાપથી તરત વિરમે છે. ઉક્ત ગુણથી પિતાના પૂજ્ય વડીલ જનેનું મન પણ ન દુભાય એવી કાળજી રખાય છે. ૭. અશઠશઠતા (છળ પ્રપંચાદિક કપટ વૃત્તિ) તજ્યાથી એ ગુણ પ્રાપ્ત થાય છે, સરલ સ્વભાવ ધારવાથી સ્વવ્યવહાર પણ સરલ કરી શકાય છે. કપટી માણસોને તે કપટ કરીને પિતાને દેષ રોપવવાને માટે બહુ વક વ્યવહાર ચલાવવું પડે છે. સરલ સ્વભાવિને તેમ કરવાની કંઈ જરૂર રહેતી નથી. કેમકે સરલ સ્વભાવિનાં વચન ઉપર સર્વ કેઈને વિશ્વાસ આવે છે. ક
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy