________________
વિર ચુસાર અને ઉપદેશ રહસ્ય
" (૪૪) અમૃત જેવાં મધુર વચનથી ખળ પુરૂષને જે સન્માર્ગમાં જોડવા ઇરછે છે; તે મધના બીંદુથી ખારા સમુદ્રને મીઠે. કરવા વાંછે છે અને નિર્મળ જળથી કેયલાને સાફ કરવા માગે છે, જે બનવું કેવળ અશક્ય છે.
(૪૫) કુમતિને સર્વથા તિલાંજલી દઈને, સુમતિને સર્વદા આદર કરનાર મહામતિ દુર્ગતિને દળીને સદ્ગતિને ભાગી થઈ શકે છે.
(૪૬) કમળના પત્ર ઉપર રહેલા જળબિંદુ સમાન છવિ. તને, ચંચળ લેખીને વિવિધ વિષય ભેગથી વિરમીને, મોક્ષાથી જીવે દાન શીલ તપ અને ભાવના રૂપી પવિત્ર ધર્મનું સેવન કરવુિંજ ઉચિત છે.
" (૪૭) સર્વ સગિક ભાવેને ક્ષણ વિનાશી સમજીને, ગુરુકૃપાથી શીઘ્ર સ્વહિત સાધી લેવા બનતે શ્રમ કર વિવકીને ઉચિત છે. ”
(૪૮) જેમણે દુર્જનની સંગતિ કરી તેણે ધર્મ સાધનની આ અપૂર્વ તક ખાઈ છે; એમ નિશ્ચયથી સમજવું. દુર્જન દ્વિજિહુ સપની જેવા ઝેરીલા હેવાથી સામાને પણ વિક્રિયા ઉપજાવે છે.
(૪૯) જે પરમાત્મામાં પૂર્ણ પ્રેમ જાગે નહિ યાતે સંપૂર્ણ ગુણાનુરાગ જાગે નહિ, તે વિવિધ શાસ્ત્ર પરિશ્રમ માંત્રથી શું વળ્યું? | (૫૦) મિથ્યાડંબરથી છવ પરીણામે ભારે દુઃખી થાય ? છે. મિયા દમામથી છવ ઉંધું વેતરવા જાય છે, જેમાં નિશે. હાનિજ પામે છે. એ દંભ નિશ્ચ ઇંગતિનું જ મૂળ છે. માટે