________________
૧૧૬ ]
દેવદર્શન યુક્ત છે તથા ત્રણ જગતના મનવાંછિત પૂરા પાડવા માટે કલ્પતરૂની લતાની જેમ શેલે છે. ૩
" धन्योऽहं कृतपुण्योऽहं, निस्तीर्णोऽहं भवार्णवात् । अनादिभवकान्तारे, दृष्टो येन श्रुतो मया ॥ ४॥"
હું ધન્ય –ધર્મરૂપી ધનને પ્રાપ્ત થયેલો છું, હું કૃતપુણ્ય-પુણ્ય કરીને આવેલો છું, હું આ ભવાર્ણવ-ભવ સાગરથી તરી ગયો છું. કારણ કે-અનાદિ ભવાટવીમાં જેને સાંભળ્યા હતા, તેને મેં આજે નજરે જોયા. ૪ “ अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोऽहं सर्वपापेभ्यो, जिनेन्द्र ! तव दर्शनात् ॥ ५ ॥"
- હે જિનેન્દ્ર! આપના દર્શનથી આજે મારું શરીર પ્રક્ષાલિતસ્વચ્છ થયું છે અને મારાને નિર્મળ થયાં છે તથા હું સર્વ પાપથી મુક્ત થયો છું. ૫ " दिढे तुह मुहकमले, तिन्निवि गट्ठाई निरवसेसाई । વાર્દિ રો, મંતëવિર્ય પર્વ છે . ”
હે ભગવન! આપનું મુખકમળ જોતાં મારી ત્રણ ચીજો સર્વથા નાશ પામી છે. એક દરિદ્રતા, બીજું દૌર્ભાગ્યદુર્ભગતા અને ત્રીજું જન્માંતર સંચિત પાપ-પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું અશુભ કર્મ. ૬