________________
vv
,
૩૧૪
સાધ્યને મા એમ મને લાગે છે. આપણું અત્યારનું સાધ્ય મધુવન અને પાર્શ્વનાથનું શિખર છે. એ તે સ્થળ સાધ્ય છે, તેની તો નજીક આપણે જતા જઈએ છીએ, પણ આપણું અંતિમ સાધ્ય તે અત્યંતર છે. તેની નજીક પહોંચવા માટે બાહ્ય દષ્ટિ અને આંતર દષ્ટિની જરૂર છે.” - મુમુક્ષુ – ત્યારે ભાઈ ! બાહ્ય દ્રષ્ટિ અને આંતર દષ્ટિમાં તફાવત ખરો?”
પંથી એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. બાહ્ય દષ્ટિએ સાંસારિક કાર્ય કરનાર જે આત્મામાં મગ્ન હાય, સાક્ષી ભાવે ફરજ બજાવતે હોય તે બહુ ઓછા બંધ કરે; ત્યાગભાવને બાહ્યાડંબર કરનાર કષાયપરિણતિને ત્યાગ ન કરે તે તીવ્ર કર્મબંધ કરે. આથી બાહ્ય નજરે એક સરખી ક્રિયા કરનાર કર્મબંધનને અંગે મોટો ફેરફાર પ્રાપ્ત કરે એ આપણે દીર્ધ વિચારને પરિણામે સ્થાપિત થયેલ સિદ્ધ નિયમ છે.” | મુમુક્ષુ:–“તમારી વાત બરાબર સમજાણું નહિ. આપણે અત્યારે ચલને પર વિચાર કરીએ છીએ. ચલનમાં બાહ્ય નજરે સરખાં ચલન હોય, છતાં અંદરથી ભેદ કેમ હાઈ શકે ? અને દષ્ટિવાન એકજ હોય પછી એમાં બાહ્ય અને આંતરને અંગે તફાવત હવે કેમ સંભવે?”
પંથી:–“આપ વિશિષ્ટ જ્ઞાતા હેઈ આવે સવાલ કેમ કરે છે ? બાહા દષ્ટિ અને અંતરાત્માનું સામ્રાજ્ય એ તદ્દન જુદી જ બાબત છે. આંતર રાજયમાં પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા, લાભ, અનેક પ્રકારની લાગણીઓ, ઈચ્છાએ, અભિલાષાઓ, મંતવ્ય, લોલુપતા, સિકતા