SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉતરાધ્યયન સૂત્રાર્થ ૩૧ જે હર્ષ પર બેઠેલા કારણ પુછી બેઠા. ચૌવન સૌભાગ્ય તેમજ સર્વ કળામાં કુશળતા વગેરે ગુણે ચંડાળપણાથી દુષીત થઈ લેકેના પરાભવને પામ્યા. તેથી વૈરાગ્ય પામી પોતાના કુટુંબને પુછયા વિના દક્ષિણ દિશા તરફ ચાલી નિકળ્યા અને એક પર્વત પર ચઢી ભગુપાત કરવા-વિચારવા લાગ્યા. ત્યાં એક શીલા તળ પર બેઠેલા આ તાપના લેતા તપસ્વી મુનિને જોઈ હર્ષ પામી તેમની પાસે ગયા ને વંદન કરી બેઠા. મુનિએ ધર્મલાભ આપી આવવાનું કારણ પુછયું ત્યારે તેઓએ પોતાની બધી હકીક્ત કહી. મુનિએ કહ્યું કે તમારે દુઃખથી કંટાળી આપઘાત કરે નહિ. પણ દુઃખના ક્ષય માટે વીતરાગ ધર્મનું ગ્રહણ કરે. મુનિના ઉપદેશથી તે બને એ દીક્ષા લીધી. ભણીને ગીતાર્થ થયા તે પછી ગુરૂની આજ્ઞાથી છઠ્ઠ અઠ્ઠમથી માંડીને માસખમણદિ - તપ વડે આત્માને ભાવીત કરતા કાળાંતરે હસ્તિનાપુરના ઉદ્યાનમાં આવ્યા એક વખતે મા ખમણના પારણું અથે સંભૂત મુનિ નગરમાં ફરે છે. તેટલામાં રાજમાર્ગ પર પડતા ગેખમાં બેઠેલા નમુચીમંત્રીએ જોઈને ઓળખ્યા. તેણે વિચાર્યું કે મેં આ ચંડાળ બાળકને ભણાવ્યા છે. તેથી તેઓ મારું સઘળું ચરિત્ર જાણે છે. કદાચ તેઓ લોકેની આગળ મારું દુશ્ચરિત્ર કહેશે તે મારી મહત્તા જશે. એટલે મુનિને માર મરાવી નગરની બહાર કાઢી મુકવા પિતાના માણસને કહ્યું. સંભૂત મુનિને માર પડતાં પીત થઈ ગયા અને તેમના મુખમાંથી ધુમાડાને જથ્થ નિકળતાં -આખું નગર અંધકારમય બની ગયું. ભય તથા આશ્ચર્ય પામતા નગરના લકે મુનિ પાસે આવી શાંત કરવા લાગ્યા. સનસ્કુમાર
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy